SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ચાળીશમું,] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદીન. અને પ્રકૃતિ કશામાં લય પામતી નથી. આત્મા-પુરૂષ તે એક જ રહે છે. કર્તાપણુને ધર્મ પ્રકૃતિનો છે, એક તૃણને વાળી શકવાનું પણ પુરૂષમાં સામર્થ્ય નથી. એ સર્વ રજસ્ કે તમસ ગુણથી રહિત છે. પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ જે ઉભયમુખ દર્પણ જેવી છે તેમાં સુખદુઃખાદિનું પ્રતિબિંબ પડે છે તે સ્વચ્છ આત્મામાં પુરે છે તેથી તેને ભોક્તા લક્ષણમાત્રથી કહી શકાય છે કે તે તે માત્ર પ્રકૃતિને સાક્ષી જ રહે છે તથાપિ જેમ સ્ફટિકની પછવાડે ગમે તે રગની વરત મૂકી હોય તે તદ્રુપ વર્ણ તેને દેખાય છે તે પ્રકારે પુરૂષનું સ્વરૂપ બહારથી ભિન્ન થતું અને તત્રમાણમાં તે ભક્તા થતા હોય તેમ દેખાય છે. સાંખ્યમતમાં પુરૂષનું લક્ષણ નિત્ય ચૈતન્યશક્તિરૂપ જ છે, જ્ઞાનરૂપ નથી જ્ઞાનને તે તેઓ બુદ્ધિને ધર્મ ગણે છે. આત્મા જે કેવળ છે તે બુદ્ધિથી અવ્યતિરિક્ત છે પણ સુખદુઃખાદિ ભાવઈદ્રિય દ્વારા બુદ્ધિમાં સક્રાન્ત થાય છે અને ઉપર જણાવ્યું તેમ બુદ્ધિ ઉભયમુખ દર્પણ જેવી છે એટલે તેનામાં ચૈતન્યશક્તિ પ્રતિબિંબ પામે છે, અને તેમ થતાં સુખદુખની લક્ષણ પુરૂષપરત્વે થાય છે. પુરૂષ અનેક છે. આ પુરૂષ અને પ્રકૃતિ ઉભયે સર્વગત છે, અર૫રસ સંયુક્ત છે અને તેઓને સાગ તે પંગુ અને અંધના સંગ જેવું છે. શુદ્ધ ચૈતન્ય પશુ-પાંગળો છે અને પ્રકૃતિ જડ અંધ છે. પુરૂષ પ્રકૃતિને આશ્રય કરી બુદ્ધિમાં પ્રતિબિંબિત શબ્દાદિનું પિતામાં પ્રતિબિંબ પડતાં તેમાં આનંદ માને છે અને પ્રકૃતિને આવી રીતે સુખરૂપ માની સંસારમાં પડ્યો રહે છે. આ પુરૂષ અને પ્રકૃતિ વચ્ચે તફાવત શું છે એ સમજાતાં વિવેકજ્ઞાન થાય છે અને તેથી પુરૂષને પ્રકૃતિથી વિચગ થાય છે એ મેક્ષ સમજ. પ્રકૃતિને વિવેક સમજાતાં પ્રકૃતિ ટળી જાય છે અને પુરૂષ સ્વરૂપે રહે છે. બંધના છેદથી મેલ થાય છે. એ બંધ ત્રણ પ્રકારના છે. પ્રકૃતિને આત્મા જાણે તેની ઉપાસના કરવી તે પ્રાકૃતિક બંધ, ભૂત, ઇદ્રિય, અહંકાર, બુદ્ધિ એ વિકારને આત્મા જાણી ઉપાસના કરવી તે વૈકારિક બંધ, યાગાદિ કર્મને પુરૂષબુદ્ધિથી સેવવાં તે દક્ષિણ બંધ. આ બંધને લીધે મરેલાને પણ પાછી સંસારપ્રાપ્તિ થાય છે. સાંખ્યમતમાં પુરૂઅને સંસાર નથી, મેક્ષ નથી અને બંધ પણ નથી, તે સર્વ પ્રકૃતિને નથી, પણ સારપાસિયા કિણ બંધ કરી
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy