SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ આનંદધનનાં પટ્ટા. [પદ આ સાત તત્ત્વ સાથે સુખના અનુભવ કરાવનાર તે પુણ્ય તત્ત્વ અને તેથી વિપરીત દુઃખના અનુભવ કરાવનાર તે પાપ તત્ત્વ એ એને ભેળવતાં નવ તત્ત્વ થાય છે. જગત્કર્તા ઈશ્વરને માનવાથી કેટલા પ્રકારના દ્વેષ આવે છે તે આ મતના ગ્રંથેામાં બહુ વિસ્તારથી મતાવવામાં આવ્યું છે, મસભંગી અને સાત નય અને તેના ઉપભેદો જેના સંબંધમાં આપણે પાંચમા પદ્મના વિવેચનમા સહજ વિચાર કરી ગયા છીએ તે આ મતની કુંચી છે. એ સમ નય એટલી વિદ્વત્તાથી આ દર્શનના ગ્રંથેામાં ચર્ચા છે અને તેનું સ્વરૂપ વર્તમાન જ્ઞાનકાળમા એવી સારી રીતે ન્યાયને મળતું આવતું જણાય છે કે તેને ખતાવનાર તરફ સ્વાભાવિક રીતે જ તે મતના અનુયાયી ન હોય તેનું પણ ધ્યાન ખેંચાય છે. આત્માને ફ્રૂટસ્થ નિત્યતા ઘટતી નથી તેમજ સાંખ્યમત અકર્તૃત્વ અતાવે છે તેમાં પણ અનેક દૂષણા આવે છે. તે આ મતનાં શાસ્ત્રમાં બતાવવામા આવ્યું છે. ઉપર જે જીવનામક પ્રથમ તત્ત્વ ર્ફ્યુ તેના નવ વિભાગ છેઃ ૧ પૃથ્વીકાય, ર્ અકાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિકાય, હું બે, ૭ ત્રણ, ૮ ચાર અને હું પાંચ ઇન્દ્રિયવાળા જીવા વૃન્ધ્યાદિનું સજીવત્વ તા હવે વિજ્ઞાનથી પણ સિદ્ધ થયું છે તેથી તે મતના શાસ્ત્રકારો તેને માટે જે કાટિએ બતાવે છે તેનું પુનરાવર્તન કરવું આવશ્યક નથી. જીવ અને પુદ્ગલને ગતિ સહાય્ય સ્વભાવ તે ધર્મ, સ્થિતિસ્વભાવ તે અધર્મ, અવકાશ આપનાર આકાશ, શબ્દ અંધકારક ઢાળ એ સર્વે અજીવ તત્ત્વમાં આવે છે. વિષય કષાયાદિમાં મને વચન પુદ્ગલ અને કાયાના વ્યાપાર તે આશ્રવ અને મહાવ્રત, દેશવતિ, સમિતિ, ગુપ્તિ. ચતિધર્મો વિગેરે સંવર તત્ત્વમાં આવે છે. ખાર પ્રકારનાં તપથી કર્મની નિર્જરા થાય છે, કર્મબંધ વખતે તેનાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને અનુભાગ નિતિ થાય છે અને સર્વ કર્મરહિતપણાને મેાક્ષ તત્ત્વ કહેવામાં આવે છે. આત્મા, ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને કાળ એ છ દ્રવ્ય છે, તેમાં ધર્મ અધર્મ આકાશ અને કાળ એક દ્રવ્ય છે અને પુદ્ગલ અને જીવ અનેક છે. પુદ્દગલ એક મૂર્ત છે, બાકીના પાંચ અમૂર્ત છે. કર્મ પણ પાગલિક છે, એના સંબંધ છૂટતાં ચેતન ઊર્ધ્વ ગતિ કરે છે, અસંગતથી ઊર્ધ્વ ગતિ થાય છે તે ખાણના પૂર્વ પ્રયોગ વિગેરે હૃષ્ટાંતાથી સમજી લેવી. પાણીમાં જેમ વસ્તુ હલકી
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy