SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 56 આનંદઘનજી અને તેને સમય. જરા વિશેષ સંભાળ ભરી તપાસ ચલાવવામાં આવી હત અને વ્યવસ્થાસર હકીક્ત દાખલ થઈ હોત તથા તેમાંથી આધારભૂત અને આધાર વગરની તેમ જ પ્રશંસાસ્પદ કે નિંદાસ્થાનીય હકીકતને વિવેક કરવામાં આવ્યા હતા તે તેમણે જે પ્રયત્ન કર્યો છે તે વિશેષ ઉપયેગી બની શકત એમ મને લાગે છે. બધી કિવદંતીઓને અવ્યવથિતપણે પ્રસાર કરવામાં સમાયેલું જોખમ બહુ વિચારવા ચગ્ય છે અને ખાસ કરીને આનંદઘનજી જેવા મહાત્મા પુરુષના સંબંધમાં વિચાર કરવા માટે જેમ સાધનો પૂરાં પાડવાની જરૂર છે તેમ તેપર કા ને વ્યવસ્થાસર વિચારે બતાવવા જોઈએ અથવા વાતે નવી લેવી જ જોઈએ. દરેક હકીકતપર વિરે બતાવવા જતાં ખરા પેટનું પૃથક્કરણ કરવાની બહુ જરૂર છે અને એ વાત ખાસ લક્ષ્યમા ન રહે તે તેને ગેરલાભ લેનારા બહ નીકળી આવે છે. બનતાં સુધી આ નિયમ સાચવવા અત્ર યત્ન કર્યો છે અને ખાસ કરીને અમુક સંપ્રદાય કે પક્ષ તરફના વાજિત્ર તરીકે આનંદઘનજીના વિશુદ્ધ જીવનને ઉપગ ન થાય એ જેવા ખાસ સંભાળ રાખી છે. એ મહાત્માના શિક્ષણ પર હવે પછી વિચારણા થશે ત્યારે પણ આ નિયમ ઉપર લક્ષ્ય રહેશે મેહતાઃ આનન્દઘનજી મહારાજના પ્રસંગે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે તેઓને વિહાર મેડતા અને તેની આજુબાજુમાં વધારે થયે હેય એમ જણાય છે. સપ્રદાય પ્રમાણે તેઓ મારવાડમાં બહુ વિચય જણાય છે અને જીદગીને કેટલેક પળ તેઓએ પાલણપુર તરફનાં ગામમાં ગાળે જાય છે મેહતાની આજુબાજુનાં મોટાં જંગલમાં અને આબુ ઉપરની ગુફામાં તેઓ વિશેષ રહ્યા હોય એમ જણાય છે અને શ્રી સિદ્ધાચળને ભેટવા માટે કાઠિયાવાડમાં આવી ગયા હોય એ સંભવિત છે. તેઓશ્રીને જન્મ બુદેલખંડમાં થયે હેય એમ તેઓની ભાષા અને તે સંબંધી ચાલતી દંતકથા ઉપરથી જણાય છે. તેઓની ભાષાપર હવે વિચાર કરવા માટે એ અગત્યના વિષયની વિચારણા કરવાનાં સાધન પર આપણે લક્ષ્ય આપીએ. તેઓના સબંધમાં ચાલતી સાપ્રદાયિક વાતે, દંતકથાઓ અને હકીકતે એક સરખી રીતે તેને મારવાડમાં વિહાર બતાવી
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy