SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીનાં પદો ૩૮૦ પદ सायक लायक नायक भानको पहारीरी, काजर का जनलाज वाज न कहुं वारीरी. तरसकी० २ ભગતૃષાનાં) બાણે ચગ્ય ચેતન સરદારના પ્રાણને હરનારા છે. શુ (તેને) જરા-ઘડપણ છે? અથવા શું તેને લોકલાજ છે? (તેનાપર) લગામ પણ નથી કે તેને વારીને (કાંઈ કહી શકુઠપકે આપી શકું? ભાવ આ ભગતૃષા જ્યારે ચેતનજી ઉપર પોતાને ઘેરે ઘાલે છે ત્યારે તેની પાસે પાશ ઈદ્રિય-પર્શ, રસ, મધ, રૂપ અને શબ્દરૂપ બાણે એવા જબરજસ્ત હોય છે કે તે પ્રત્યેક પ્રાણુને હણ શકે છે જુની કથાઓમાં વાંચ્યું હશે કે અન્ય સ્ત્ર વાયવાસ્ત્ર વિગેરે શર એવાં પ્રબળ હોય છે કે પિતાનું કામ જરૂર કર્યા વગર રહેતાં નથી, તેવી જ રીતે આ કાળમાં બpક તથા તેપના ગાળાગાળાઓ મહા ઘાતક હાય છે. આ પ્રમાણે ભગતૃષ્ણનું એક એક બાણ આ ચેતનજીના પ્રાણને હણનારું છે. ઉપર એવી શકા કરી હતી કે આ ભગતૃષા તે એક કર્મ છે કે કર્મનું લશ્કર છે તેને અત્ર ખુલાસો થાય છે. તે એવી જબરજસ્ત છે કે તેનું પ્રત્યેક બાણ આ ચેતનજીના પ્રાણનું ઘાતક નીવડે છે, ચેતનજીને અસ્તવ્યસ્ત કરી નાખે છે અને તેને મુંઝવી દે છે. ચેતનજીના પ્રાણ તે જ્ઞાનદર્શન ચારિત્રરૂપનિજ ગુણ સમજવા. આત્માના આ જ્ઞાનજીવન, દર્શનજીવન અથવા ચારિત્રજીવનને ભાગતુષા હરી લે છે અથવા તે તેને ઘાત કરે છે વિષયસુખની લાલસા એવી પ્રબળ પણે થાય છે અને તેનું જેર એકંદર રીતે એટલું તાકાતવાળું હોય છે કે એની સાથે લપટાયલા ચેતનજી પોતાના નિજ સ્વરૂપને ભૂલી જાય છે, પરવશ બની જાય છે અને ત્યાર પછી એવા ખેલ ભજવે છે કે તેનામા જાણે સજ્ઞાનજીવન કે સચારિત્રજીવન હશે એમ પણ લાગે નહિ, ચેતનજીની આવી વ્યથિત અવસ્થા કરનાર ભગતૃષા છે અને ચેત ૨ સાયક=બાણ લાયકાગ્ય નાયક આભારય સરદાર પ્રાણપ્રાણને અપહારીરી =હાણનાર, ઘાતક કારશુ તે) જરાવસ્થા છે કા જનલાજ= (તેને) લાલજી છે વાજલગામ ન=નથી વારી રી યારીને
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy