SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ચાત્રીમું] પરરમણ કરતા પતિની દશાનું વર્ણન. ૩૨૯ તે માયા મમતાના વેશ્યાવાસમાં પડ્યા રહે છે, પણ પતિ સંબંધી એવી વાત પિતાની સખી સાથે કરતાં પણ સુમતિના મનમાં જે ખેદ થાય છે તે બતાવનારે એ શબ્દ છે. હે સખિ! આટલી આટલી વાત કરતાં છતાં અને આવી રીતે અનુભવ મિત્ર સાથે કહેવરાવતાં છતાં પણ જે મારા નાથ જેઓ પિતાની શુદ્ધ સત્તાએ આનંદના સમૂહ છે તેઓ મારા મદિરે ન પધારે તે પછી તે શું હવે બાંગ પિકારવી? હવે કરવું શું? સતી સ્ત્રીને ઘટે તેવી રીતે મર્યાદામાં રહી સહજ વધારે સખ્ત શબ્દો કહી પતિને સમજાવતાં છતાં પણ તેઓ સવમદિરે પધારવાને વિચાર જ ન કરે તે પછી શું રાડ પાડીને મારી વધારે ફજેતી કરવી? જે સખી, તેઓ ઘણા વખતથી મારે મંદિરે આવતા તે નથી જ, હું દૂતી સાથે કહેવરાવું છું તે સાંભળતા નથી, અનુભવ મિત્રને કહેવાનું કહ્યું છે તેનું પણ કાંઈ પરિણામ આવ્યું નથી, તેથી હવે તે જે થાય તે જોયા કરવાનું છે, વધારે રાડેડ પાડીને ઘરને ફજેત કરે એમાં મને તે લાભ જણૂતિ નથી. દશમા પદમાં સુમતિ આ જ પ્રમાણે કહે છે એતી સુની આનદાન નાવત, ઔર કહા કેઉ ડુંડ બજાવે. એ વિચાર જણાવતી વખતે પતિ બાજુમાં ઊભા ઊભા સાંભળતા હતા અને આ વખતે ગેરહાજર છે એટલે તફાવત છે. બાર કહા કેઈ દીજે સંગમ એ પાઠને અર્થ જુદી રીતે પણ થઈ શકે, માત્ર તે વખતે ચેતનજી નજીક છે એ ભાવ લેતાં પદના બાકીના ભાવ સાથે તે અર્થને અસમદ્ધપણું પ્રાપ્ત થાય છે. હે ચેતન! એવા કથીરના ચલણપર તને કદિ આનંદઘન પ્રભુ મળવાના નથી અને એ તારી પાસે નહિ આવે તે બીજે કઈ તને સેબત આપે, તારી સાથે આવે, નિરંતર તારાપર પ્રીતિ રાખે એ કદિ બનવાનું નથી એમ તારે જરૂર માની લેવું. તારા સંગી થશે તે અંતે આનંદઘન પ્રભુ જ થશે, આ માયા મમતા તે કુલટા છે, એ તે તને મૂકીને તરત ચાલી જશે, તને ધક્કો મારીને નાસી જશે. જે તારે અવિચળ પ્રેમ કરવું હોય તે આનંદઘન સાથે જ કર. તે કાંઈ આવા પાટા ચલણપર આવવાના નથી એ સ્પષ્ટ સમજજે, તેઓ તે બરાબર
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy