SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ તેત્રીશ.! પતિમેળાપ માટે સમતાની આતુરતા. ૩૧૫ ને તનની પીડા જાણનાર તારા વિના કોઈ નથી. એક વિરહી શ્રી જે પરમ પવિત્રતા હોય તેને જ્યારે તેના પતિને વિરહ થાય ત્યારે તેની કેવી દશા થાય છે તે તે હે અનુભવ મિત્રી તમે અનેક કાવ્યોમાં વાંચ્યું હશે. મારી અત્યારે એવી દશા થઈ છે કે હું તમને રેઈને પણ તે કેવી રીતે બતાવું? રડવામાં પણ જરા શુદ્ધિ તે જોઈએ અને હું તે હવે પતિવિરહથી એટલી જીવપર આવી ગઈ છું અને મારી શુદ્ધ બુદ્ધ પણ એટલી કમતી થઈ ગઈ છે કે હું તમને રહીને પણ મારે ખરે મનેભાવ બતાવી શકું તેમ રહ્યું નથી. પચીશમા પદમાં સુમતિ કહે છે કે દરેક મનુષ્યની આગળ મનની વાત કેવી રીતે કહી શકાય ? હવે તેને અહીં અનુભવ સ્વજન મળેલ છે તેથી તેની પાસે મન ખેલીને પોતાની ખરેખરી સ્થિતિ બતાવી આપે છે અને તેમ કરતાં તેને કહે છે કે હે મિત્ર! મારા પતિવિર મારા શરીરની અને મનની એવી સ્થિતિ થઈ ગઈ છે કે તે તારી પાસે રાઈને પણ બતાવી શકતી નથી. રડવામાં રડવા પૂરતી અને તે સાથે પિતાનું સુખ બતાવવા પૂરતી તે શુદ્ધિ હોવી જઈએ, તેટલી પણ મારામાં નથી તેથી હું તને રહીને પણ મારે ખરે મનેભાવ સમજાવી શકતી નથી. મારે તે આખો દિવસ ખેદ કરવામાં જ જાય છે, અને બીજું કાંઈ સુજતું નથી અને મારા આખા શરીરમાં અને મનમાં વિરહાગ્નિની જવાળાઓ ઉડ્યા કરે છે અને તે મને બાળી નાખે છે. હે મિત્ર! હજુ પણ કેટલી વાત કહું ? અત્યારે તારી પાસે મન ખાલીને કહું છું, પતિ વિરહ મારા હાલ કેવા થયા છે? તે જરા સાંભળ અને પતિને તે કહીને તેની સાથે મારે મેળાપ કરાવી આપવા હવે બનતે પ્રયાસ જરૂર કર. સુમતિ શુદ્ધ બુદ્ધ ખેઈ બેસે એને ભાવાર્થ એ સમજ કે મમતા માયાના પ્રસંગમાં આ જીવ એટલે બધે પડી ગએ છે કે તેનામાં શુદ્ધ બુદ્ધિ જે કાંઈ હોય તે ચાલી જાય છે, તદન નહિ જેવી થઈ અવ્યવસ્થિત અથવા અસવસ્થ સ્થિતિમાં પડી રહે છે, અને તે સાહેબજી તે ઉન્મત્તની પેઠે માયા મમતા વેશ્યાઓના ઘરે રખડ્યા કરે છે. આવી સ્થિતિને પરિણામે ચેતનજીની પિતાના મનની અને શરીરની શાંતિ રહેતી નથી, તે ધનની લાલચે અહીં તહીં વલખાં માર્યા કરે છે, ઇંદ્રિ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy