SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણત્રીશમુ. ચેતનછનાં વિવિધ નામનું અવાસ્તવિકપણું. ૨૭ ઈચ્છાને–તૃણને જન્મ આપે છે અને આવી રીતે મહા સુખરૂપ પર પૃહામાં આ જીવ અનેક જન્મ લીધા કરે છે અને સંસારને તળીએ બેસે છે. આ પદને ભાવ બહુ સૂકમ દષ્ટિથી સમજી તેને વિષય પિતાના મનમાં ઉતારવા યોગ્ય છે. સ્થૂલ વિષયમાં તે શું પણ માનસિક કે આત્મિક વિષયમાં પણ પરસ્પૃહા કરવાને અત્ર નિધિ કર્યો છે તે ખાસ વિચારવા જેવું છે. સાધ્યનું સ્પષ્ટ જ્ઞાન કરી અગમ્ય ચાલાના પાન માટે અહીં જે ભલામણ કરી છે તેને અંતર આશય સમજાય તેમ કરવાની ખાસ જરૂર છે. આવા પ્યાલામાં રહેલ કસને પી તેની ધુનમાં જ્યારે ચેતનજી આવે ત્યારે પછી પોતે સ્વસાધ્ય દશામાં રમણ કરે છે અને સર્વ જગતને જુએ છે ત્યારે તેને એક ખેલ જેવું-નાટક જેવું લાગે છે. અરે એવી વિશુદ્ધ દશા પ્રાપ્ત થયા પહેલાં પણ જરા શાંત રીતે વિચાર કરીએ તે આપણને જગત તમાસા જેવું લાગશે. પર આશા મૂકી દઈ જ્ઞાનસુધારસનું પાન કરી અત્ર બતાવેલ અગમ્ય પ્યાલો પીવા અને તેના પાનની ધુનમાં પડી જવા દરેક સાપેક્ષ દષ્ટિવાને વિચાર રાખવે. પદ ઓગણત્રીશમું, રાગ આશાવરી, अवधू नाम हमारा राखे, सोइ परम महा रस चाखे. अवधू० ना हम पुरुपा ना हम नारी, वरन न भांति हमारी जाति न पांति न साधन साधक, ना हम लघु नहि भारी. अवधू० १ હે અવધૂ! જે અમારું નામ થાપ તે ઉત્કૃષ્ટ મહા રસનું આ રવાદન કરે. અમે પુરૂષ નથી, સ્ત્રી નથી, અમારી કોઈ વર્ણ નથી, કે “ના ને બદલે નહિ એવા પાઠ છે. t સાધન સાધકને બદલે સાધુ ન સાધુક એવા પાઠ છે તે અશુદ્ધ જણાય છે. ૧ રાખેથાપે, પાડે. સોજ ચાખેક્સવાદ લે. વરનવાર્ણ, પાંચમાને એક વર્ણ-રંગ અથવા બ્રાહાણાદિ ચાર વર્ણમાના એક ભાતeઘાટ, આકાર, પાતિ= પક્તિ, સાધનક્ષામગ્રી. સાધક સામગ્રી તૈયાર કરનાર લઘુ =હળવા.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy