SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ [પદ ૨૨ * આનંદઘનજીનાં પ. " છે એટલે મનુષ્યમાં વિચિત્ર સ્વભાવના આવિર્ભાવ હોય છે તે હું બરાબર સમજતો નથી, તેનાં લક્ષણે મારા ધ્યાનમાં નથી અને તેથી તેઓ વિભાવદશામાં કેવી રીતે ગુણ સાથે વર્તે છે તે મારા ખ્યાલમાં નથી. આવી રીતની હકીકત હોવાથી હું આપની પાસે કેવી રીતે ગુણની યાચના કરું અથવા કયા ગુણાની યાચના કરું તે હું સમજતે નથી. વસ્તુની ઘટના હેતુપણાના જ્ઞાનપૂર્વક કરવી તેનું નામ તકે કહેવાય છે અહીં ધૂમાડે દેખાય છે તે તેમાં અગ્નિ હવે જોઈએ, કારણ ધૂમાડા અગ્નિનું કાર્ય છે વિગેરે તકે કહેવાય છે. તેને અંગે દ્રવ્ય ગુણ પર્યાનું જ્ઞાન અને સાથે પ્રમાણે, નય અને ભંગાસવરૂપનું જ્ઞાન થાય ત્યારે અપેક્ષા વિગેરે સમજવાથી આત્માના અવ્યાબાધપણુ આદિન તર્ક કરીને આત્મસ્વરૂપનું યથાર્થ લક્ષ્ય થાય છે. એ ઉપચાગની સ્મૃતિને તકે કહેવાય છે. વળી એક હકીકતને સ્થાપન કરતાં આચાર્ય અને શિષ્યને પરસ્પર પૂર્વપક્ષ ઉત્તરપક્ષ થાય તે વાદ અને તેના ઉત્તર પ્રતિઉત્તર આપવા તે વિવાર કહેવાય છે. કુતર્ક ઉઠાવી હતુ અને પરિણામ વગરને વાત કરી તે પણ વિવાદ કહેવાય છે. આ તર્કવાદ અને વિવાદ માંથી હું કાંઈ જાણુ નથી. આ તર્કવાદ વિવાદનું શુષ્ક જ્ઞાન તત્ત્વજ્ઞાનને પાર પામવા માટે ઉપચાગી નથી, કારણકે શુષ્ક વાદ અને પ્રતિવાદ કરતાં કદિ પણ તરવને અંત પમાતા નથી એમ ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનાષ્ટકમાં કહે છે, પણ હેવાભાસવાળી યુક્તિયુક્તિથી જ્યારે અન્ય કેઈ લયસ્થાન ઉડાવી દેવા યત્ન કરતે હેય. અથવા શાસ્ત્રનુભવસિદ્ધ વસ્તુની રથાપના કરવી હોય ત્યારે શ્રદ્ધામાં સ્થિર રહેવા માટે આ જ્ઞાનની જરૂર છે, કારણકે તેથી આક્ષેપ કરનાર કે થતા કઈ જગાએ ખલના કરે છે તે સમજાઈ જાય છે તથા સમજાવી શકાય છે. યથાસ્થિત તર્કના નિયમ પ્રમાણે ચર્ચા કરવી તે વાત અને વિપરીત વાદ કર તે વિવાદ. આમાંનું હે પરમાત્મા! હું કંઈ જાણતા નથી. વળી હે પ્રભુ! હું કવિનું ચાતુર્ય અથવા તેઓની કળા જાણત નથી. નવીન કા બનાવવામાં અલંકારના ભે, રસના વિભાવે, અનુભાવે, સ્થાયી ભાવે અને તેના વિશે જાણુવા જઈએ એ સર્વ મને જ્ઞાન નથી કે જેથી હું તમારી કવિતા બનાવી તમારા
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy