SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગવિચારણા. 37 વિશુદ્ધ મહાત્મા આનંદઘનજીને જે અસાધારણ માન આપે છે તે જેમ આનંદઘનજીના અસાધાણુ માનસિક અને આધ્યાત્મિક ચાગ બતાવે છે તેમ તેઓમાં રહેલ વિશુદ્ધ વર્તનના અને વ્યવહારના એકત્રિત ચેાગ પણુ ખતાવે છે. વ્યવહાર અને નિશ્ચયમાં સપાર્ટી ઉપરથી દેખાતા ભેદના હાર્દેમા રહેલ અભેદ જે સાધારણ રીતે સમજી શકાય તેવા નથી તેના ખાસ સારભૂત રહસ્યને સમજનાર ઉપાધ્યાયજી જેવા વિદ્વાના આનંદઘનજીને માન આપતાં પહેલાં મહુ પ્રકારે વિચાર કરે એમાં નવાઈ નથી. વ્યવહારના લેપ ન થાય એ જોવાની ખાસ કાળજી તેને હાવી જોઈએ એમ માનવામાં જા પણ આંચકા લાગતા નથી અને ખાસ કરીને પૂર્વ વચમાં જ્યારે વ્યવહાર માટે બહુ મક્કમ વિચારો શ્રી યશેાવિજયજીના હતા અને હાવા જોઈએ તે પ્રસંગે તે આનંદઘનજીને અત્યંત માન આપે એ અતાવી આપે છે કે આનંદઘનજીએ વ્યાવહારિક રીતે તપગચ્છમાં દીક્ષા લીધી હાવી જોઈએ. ઉપાધ્યાયજીના સવાસા તથા સાડાત્રણસેં ગાથાનાં સ્તવના પૂર્વે વયમાં રચવામાં આવ્યા હેાવાના આતરિક પૂરાવા જણાઈ આવે છે અને તેના આનંદઘનજી સાથે મેળાપ પણ પૂર્વ વચમાં થવા સંભવિત લાગે છે. આટલું છતાં આનંદઘનજીના વિચાર નેતાં તેઓને ગચ્છના મેહ હોય એમ તેા લાગતું નથી. ચૌદમા શ્રી અનંતનાથજીના સ્તવનમાં તેએ લખે છે કે ગચ્છના ભેદ બહુ નચણ નીહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, સેહ નડીઆ ઢળી કાલ રાજે વળી અડતાળીશમાં પદ્મમા રામભણીરહેમાન ભણાવી,અરિહંત પાડ઼ પડ઼ાઈ ઘર ઘરને હું ધંધે વિલગી, અલગી જીવ સગાઇ. આવા ઢ વિચાર જણાવનાર પોતે અમુક ગચ્છના માહુમાં દારવાઈ જઈ અન્યના તિરસ્કાર કરે એ તે સમીચીન લાગતું નથી, પણ સાથે તે એટલા જ મક્કમપણે , શ્રીનેમિનાથના સ્તવનમાં જણાવે છે કે: શ્રૃણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપર અનુભવ છે. સમયપુરુષનાં અંગ ક્યાં એ, જે છેદે તે દુરભવ રે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy