SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ વિશમુ. પતિસન્માનાર્થે સમતાના શણગાર ૧૮૫ આનંદરૂપ વરસાદ વરરાજ કરે છે, અને સાથે અજપા જાપ ચાલે છે અને અનાહત નાદના અવાજ ઉડ્યા કરે છે. આનંદને વરસાદ પણ સાધારણ રીતે % છે એમ નહિ પણ અખંડ ધારા ચાલ્યા કરે છે, અને આપણે જેને ઝડી વરસાદ કહીએ છીએ તે ચાલે છે. આવી રીતે આનંદજળની જ્યાં ૨લ છેલ થઈ રહી હોય ત્યાં પછી મૂળગુણરૂપ છોડવાઓ વિકસ્વર થઈ અનેક પ્રકારનાં ફળ પુષ્પ ધાન્ય આપે છે તેનું તદ્દન સ્વાભાવિક પરિણામ છે. ૧૫ શૃંગારસમયે વરસાદ વરસતો હોય તેમાં વળી મોર ટહુકા કરે ત્યારે આનંદની પરિસમાપ્તિ થઈ જાય છે. અહીં ભવ્ય વનવાસી મયૂરે એટલે સંસારી ભવ્ય પ્રાણીઓ એક્તાર દષ્ટિથી જોઈ રહ્યા છે, આનંદથી ટહુકા કરે છે કે અહ! આ ચેતના અને ચેતનજીને મેળાપ શું સુંદર થયે છેઆવા આનંદવરસાદમાં ન્હાવાને અમને પ્રસંગ આવ્યે તે અમારું પણ અહોભાગ્ય છે. દેશનારૂપ વરસાદ વરસે તે વખતે મયૂરના ટહુકા પેઠે ભવ્ય જી હરખાઈ જાય છે અને એક્તાર થઈ રહે છે. આનંદની અત્ર પરિસમાપ્તિ થાય છે, સુખની અત્ર પરિસીમા આવે છે અને આનરાશ્વિને એક વિભાગ પણ અત્ર એ રહેતું નથી, સુખસમુહને એકેએક તરંગ સુખનુભવ આપી દે છે. ૧૬. બીજી ગાથાના અર્થમાં પ્રથમ અને બીજું પદ જા પાડી પ્રેમપ્રતીત રાગરૂચિ વડે શરીર રંગવારૂપ જૂદ શૃંગાર અને ઝીણું સાડી પહેરવા જૂછે શુગાર એમ અર્થ કરીએ તે સેળ શણગાર પૂરા થાય છે. શરીર ઉપર ચંદનાદિ લગાડવારૂપ અથવા સ્તનાદિ ઉપર ચિત્ર કરવારૂપ શૃંગારે ઘણી જગ્યાએ વર્ણવેલ છે. વળી દરેક શણગાર અકેક પકમાં લખ્યા છે તેમ ત્યાં પણ થવું જ જોઈએ તેથી વિચારી સુજ્ઞ વાંચનારે ચગ્ય અર્થ ઘટાવો. આ સોળ શણગારની કલ્પના મે કરી છે તેમાં કાંઈક નવીનતા લાગશે, કારણ પ્રરતુત રીતે શણગારા જારી રીતે ગણાય છે, પણ તે • આ જંબૂસ્વામીને રાસ ભાવ પિતાની સ્ત્રી નાગીલાને અર્ધ મડિતવસ્થામાં છોડી ત્યા આ ગાર બતાવેલ છે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy