SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ આનદઘનજીનાં પો. પદ ભાવશુદ્ધ ચેતના ચેતનને ઉપર કહી ગઈ કે મારે મન તું અમૂલ્ય છે, તે કેવી રીતે? એ વાત અત્ર બતાવે છે. ઝવેરી લાલ માણેકની કિમત કરે છે કે આ માણેક પાંચ હજારનું છે, આ દશ હજારનું છે, આ વીશ હજારનું છે વિગેરે, પણ મારા પ્રીતમ સુખદ્યાયી માણેક છે તેની કિમત તા ઝવેરી પણ કરી શકે તેમ નથી. ઝવેરી કિમત કેમ કરી શકતા નથી? તેનું કારણુ ખતાવતાં પહેલાં આપણે જાણવું જોઈએ કે લાલ માણેકની કિંમત ઝવેરી અરસ્પરસ માણેકને સરખાવીને કરે છે. એક માણેકની કિમત કરતાં બીજા માળેકમાં તેજ (lustre) વિશેષ હાય તો તે એને સાથે મૂકીને તેની કિમત આંકે છે, પણ મારા લાલ રીલાની સાથે મૂકી શકાય એવું આછી વધતી કિંમતનું જ્યાં રત્ન જ ન હાય. ત્યાં તેની કિમત કેવી રીતે આંકી શકાય? જેનેં સરખાવવા માટે અન્ય રત્ન નથી, તેની કિંમત શું હાઈ શકે? એ અમૂલ્ય છે. માણેકના પટંતરમાં રહેલ માણેક તેને ઓછી વધતી મતનું બતાવે છે, પણ આ તે જેની સાક્ષ્યમાં મૂકી શકાય એવી વસ્તુ (પાગલિક) દુનિયામાં છેજ નહિ તે પછી તેની કિમત કેવી રીતે થઇ શકે ? ૧૪૮ યુદ્ધ દશામાં વર્તતા આત્માનું તેજ નિરંતર એક સરખું જ રહે છે, તેમાં વધઘટ થતી નથી, તેમાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ભરપૂર હાય છે, તેના તેજના પ્રકાશ આંતરચક્ષુને એક સરખો મળ્યા કરે છે. આવા તેજવાળા આત્માની-લાલ રંગીલા નાથની કિમત કાઈ ઝવેરી પણ કરી શકે તેમ નથી, કારણકે તે અમૂલ્ય છે. पंथ निहारत लोयणे, द्रग लागी अडोला; जोगी" सुरत समाधिमे, मुनि ध्यान झकोला. निशदिन० ३ “અમિષ ચક્ષુ લગાવીને મારી આંખાવર (પતિના) માર્ગ * નાગી સુરતને મલે જોગીસર તે એવા પાઠાતર છે. જોગીસર એટલે યેગી—વિશિષ્ટ ચણા સમજવા + મુનિને ખલે માનુ” પાઠાંતર છે તેપર વિવેચન ભાવાર્થમાં જી ૩ પૃથમાર્ગ નિહારત=જોઇ છુ લાયો લાચનવડે, આખેવિડે દ્રગ માખી, ચક્ષુ લાગી વળગી છે' અહેલા હીલચાલ નગરની,અડગ, અનિમેષ સુરત નજર અકલિાયતમાં
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy