SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું.] આનંદધનજી અને ચાપાટ, ૧૨૫ લાલ અને પીળી સાગઠીઓ કઈવાર જુગ તેડીને ઘરમાં આવે છે એટલે જ્યાંસુધી જુગમાં હોય છે એટલે દુર્ગતિ સાથે સંબંધમાં હોય છે ત્યાં સુધી તે ઘરમાં આવી શકતી નથી, પણ જુગ તેડી નાખીને કેઈવાર ઘરમાં આવી જાય છે, તેવી રીતે તેને અને કાપત લેશ્યાવાળા છ દુર્ગતિ સાથેને પિતાને સંબંધ તેડી આત્મસ્વભાવમાં આવી જાય છેકેઈવાર આત્મસ્વરૂપમાં રમણ કરે છે અને ધીમે ધીમે ઉત્ક્રાંતિમાં આવી જઈ પદ્ધ અને શુકલ લેગ્યા ધારણ કરનાર થાય છે. આવી રીતે આ જીવ નવી નવી બાજી ગોઠવતે જાય છે, નવાં નવાં ઘરમાં જાય છે, નવા નવા વેશ ધારણ કરે છે પણ શાસ્ત્રકાર કહે છે કે એવી કઈ જાતિ નથી, એવી કઈ યોનિ નથી, એવું કેઈ સ્થાન નથી, એવું કે કુળ નથી કે જ્યાં આ જીવ અનંતવાર મરણ પામ્યા ન હોય અથવા અનંતવાર જન્મ પામ્યા ન હોય!” સંક્ષેપમાં આ જીવ અશુભ લેયા ધારણ કરીને તેના વડે ચારાશી લક્ષ નિમાં ચૌદ રાજલકમાં ફર્યા કરે છે. જર૪ એટલે ભુખરી. અહીં તેના આધ્યાત્મિક અર્થમાં કાપિત વેશ્યા સમજવી. થોડા લાલ અને થોડા પીળા રંગના મીક્ષચર રંગને જરદ રંગ કહેવામાં આવે છે. સોગઠાના રંગમાં તેને પીળું ગઠું સમજવું. જેરી એ શબ્દ જેરી નજેરી સાથે લાગતું નથી, કારણ મારા સમજવા પ્રમાણે નજેરી શબ્દ શતરંજની રમતમાં વપરાય છે એટલે જેરીને અર્થ અહીં જુગએ સોગઠી સાથે ચાલે એમ કરે એ જ ઉચિત લાગ્યું છે. પાટની રમતમાં પરણ્યા પછી “જુગ થાય છે તેને એ શબ્દ બરાબર મળતું આવે છે. આ પદમાં કહેવાની મતલબ એમ જણાય છે કે જ્યારે જુગ તેડીને ઘરમાં આવી જાય છે ત્યારે પછી સંગઠી ઘણે ભાગે મરતી નથી પણ બૂડી જાય છે, તેવી રીતે સમ્યકત્વ પામ્યા પછી જ્યારે જીવ આત્મસ્વભાવમાં આવે છે ત્યારે પછી તેને પાછા પડવાનું બહુધા - થતું નથી અને આગળ વધીને છેવટે તેનો મોક્ષ થાય છે. આમાં વળી કઈ પિતાની સંગઠી ગાંડી કરે તે કેવું પરિણામ આવે છે તે છેલ્લી ગાથામાં સૂચવે છે તે તરફ હવે આપણે ધ્યાન આપીએ.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy