SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદધનછનાં જુદા. [ પદ પણ એક વિદ્વાન્ મહાશય આ ગાથાના નવીન અ↑ સૂચવે છે તે વિચારવા લાયક છે. આ પ્રાણી ચતુર્ગતિરૂપ ચાપાટ ખેલે છે અને તેના કારણ તરીકે તેની પ્રવૃત્તિ છે. ચાપાટ ખેલવામાં જેમ પ્રવૃત્તિ કરવી પડે છે તેમ ચતુર્ગતિરૂપ ચાપાટ ખેલવામાં પણ પ્રવૃત્તિ કરવી પડે છે. સાગઠાં અથવા ગંજીપાને કારણ ગણે છે અથવા માને છે એટલે ખાજી રમવામાં કર્મબંધનની માન્યતા છે પણ શુદ્ધિમાના પણ (કર્મની અકળ ગતિને) સમજી શકતા નથી. માજી ચલાવવાના કારશુમાં તે કર્મમયનને કારણ માને છે અને તદનુસાર તેમની પ્રવૃત્તિ ચાલે છે પણ તેની અકળ ગતિને ડાહ્યા ડાહ્યા માણસે પણ સમજી શકતા નથી. આવે ભાવ આ અર્થ પ્રમાણે નીકળે છે તે સમજવા યત્ન કરવા. ૧૧૬ राग दोप मोहके पासे, आप बनाये हितकर; es जैसा दाव परे पासेका, सारी चलावे खीलकर, प्राणी० २ “રાગ, દ્વેષ અને મેહના પાસા પેાતાને હિત કરનારા છે. એમ માનીને તેણે બનાવ્યા; (પછી) તે પાસાના જેવા દા પડે તે પ્રમાણે રમનાર સાગઠી ચલાવે છે.” ભાવ–આ પ્રાણીએ બાજી રમવા સારૂ પોતાને લાભ કરનાર જાણીને રાગ, દ્વેષ અને મેહરૂપ ત્રણ પાસા બનાવ્યા. ચાપાટની રમત રમવા સારૂ એ પાસાના અથવા ત્રણ પાસાના ખપ પડે છે, અન્ને રીતે ચાપાટ રમી શકાય છે. પાસામાં એક બાજુએ છે, બીજી ખાજીએ પાંચ, ત્રીજી માજુએ છે અને ચેથી માજુએ એક એમ ચાર જાતના દાણા હાય છે. માજીમાં બે અથવા ત્રણ પાસાથી રમત શરૂ કરીને દાણા આવે તેટલાં ઘર સાગઠી ચાલે છે તેમ આ સંસારની ખાછમાં જેવા રાગ, દ્વેષ અને મેહના દાણા આવે છે તે પ્રમાણે ચક્રભ્રમણ થાય છે. એ ત્રણે પાસાને મનાવનાર આ જીવ પાતે જ છે અને તેના દાણા નાખનાર અને તદ્દનુસાર ભ્રમણ કરનાર પણ પાતે જ છે. આ સંસારમાં રખડાવનાર, ભ્રમણ કરાવનાર અને જીવને મુંઝવી નાખનાર રાગ, દ્વેષ અને મેહ છે. મેહના અવયવ રાગ દ્વેષ છે. ૨ હિતકર હિત કરનારા માનીને જૈસા=જેવા સારી=સાગઠી ખીલ મનાર.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy