SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીના પદા. [ પદ ૧૧૦ તેમાં એકાગ્રતા કરવાના છે. આત્મસંયમ જ્યાંસુધી થશે નહિ ત્યાંસુધી ભવસ્થિતિ પરિપકવ દ્ધિ પણ થવાની નથી. સાધુમાર્ગ પર અરૂચિ આવે તે અનંત ભવ સુધી ચારિત્ર ઉય આવે નહિ અને તે વિના કહિ સંસારથી મુક્તિ થવાની નથી-કર્મથી મુક્તિ થવાની નથી—પાષિથી મુક્તિ થવાની નથી એ સ્પષ્ટ હકીક્ત છે. હવે આવી રીતે માહ રાજા સાથેની લડાઈમાં ચેતનજીના સંબંધમાં તેના ખરા સગા સંબંધી આશ્ચર્યના ઉદ્ગારા કાઢવા લાગ્યા, પછી આગળ તેને કેવું સુખ થયું તે પણ પૂરું અતાવી દે છે. केवल कमला अपछर सुंदर, गान करे रस रंग भरीरी; जीत निशान बजाइ विराजे, आनंदघन सर्वंग घरीरी. आतम० ३ ” કેવળજ્ઞાન લક્ષ્મીરૂપ સુંદર અપ્સરા રસ અને રંગથી ભરાઈ જઈને ગાયન કરે છે અથવા રસરંગથી ભરપૂર ગાયન કરે છે. એ વખતે જીતના ડંકા વગાડીને આનંદઘન આખા શરીરપર ( મને ) ધારણ કરીને બિરાજે છે.” ભાવ–ઉપર જણાવ્યું તે પ્રમાણે માડુ રાજાને હટાવી દઈને ચેતનજી જ્યારે શુદ્ધ દશામાં વર્તે છે ત્યારે કેવળજ્ઞાન લક્ષ્મીરૂપ સુંદર અપ્સા તેની પાસે રસ અને રંગ સાથે ગાન કરે છે (તેને વરે છે). જેમ રાજા મહાન લડાઈમાંથી જય મેળવીને આવે છે ત્યારે તેની પાસે વારાંગનાઓ નાચ કરી આનંદ આપે છે અને રંગ ઉડાડે છે, ચાત્તરફ ઘુઘરીના ઘમકાર–ઝાંઝરના અણુકાર અને નપુરના થનકાર થાય છે, તેમ આ ચેતનજી પાસે કૈવલ્યજ્ઞાન લક્ષ્મીરૂપ સુંદર અપ્સરા તેના સુંદર આકારમાં ગાન કરે છે. તેના આત્મપ્રદેશ ઈન્દ્રિયને અગીચર પ્રત્યક્ષ જ્ઞાનથી સર્વ વસ્તુના અનુભવ સમકાળે કરે છે, તેના રસમાં તે લયલીન થાય છે, તેના રંગમાં તેને પ્રેમ આવે છે, તેની ખાખતમાં તેને ધૂન આવે છે અને તે સર્વત્ર આનંદ આનંદમય થઈ જાય છે અથવા કેવળ ૨ કમળા=૧મી. રસલયલીનપણુ, રંગ પ્રેમ. નિશાન જીતના ડેકા ખજાઈ વગાડીને વિરાભિરાજે. સર્વેગ=આખા શરીરપર
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy