SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ માનદ્દઘનજી અને તેના સમય કેળવાયલા વર્ગને ચેગ્ય સાહાય્ય મળતી નહાવાને લીધે અને તે વર્ગ ઉપર ઉપરના કામમાં લાગી ગયેલ હાવાને લીધે ભય રહે છે કે ઈતિહાસના અતિ અગત્યના વિષયમાં પ્રગતિ કરતા હજી ઘણા વખત લાગશે અને દરમ્યાન કામની સ્થિતિ કેવા પ્રકારની રહેશે તે કહી શકાય નહિ તેમ જ લક્ષ્ય સાધના ત્યાસુધી જળવાઈ રહેશે કે નહિ તે પણ કહી શકાય નહિ. ઇતિહાસ સબંધમાં આવી સ્થિતિ હાવાને લીધે કોઈ પણ ગ્રંથ સમજવા માટે જે ખાસ ઉપયેગી સાધન છે તેના દ્વાર હજુ આપણે માટે લગભગ બધે છે એમ કહી શકાય. સામાન્ય દૃષ્ટિથી અમુક શબ્દોના અર્થ તેજ ગ્રંથનું રહસ્ય સમજ નાર આ ઐતિહાસિક દૃષ્ટિની અગત્ય સમજી ન શકે અને તેથી કદાચ ઉપરની સર્વ હકીક્ત અપ્રાસંગિક ગણી નાખે એવા સકારણ ભય રહે છે, પરંતુ તેને આ હકીકત જણાવવાની જરૂર લાગે છે કે અમુક ગ્રંથ સમજવા માટે તે ગ્રંથના શબ્દાર્થની જેટલી જરૂરીઆત છે તેટલીજ જરૂરીઆત તે ગ્રંથકર્તા સબંધી અને તેના વખતના ખીજા મહા પુરૂષો સમધી, સમાજ સંબધી અને રાજ્ય સબધી હકીક્તા જાણવાની તથા મીજી તેને લગતી ઉપલબ્ધ હકીકતા જાણી લેવાની છે અને એક રીતે જોઈએ તે આ બાબત વિશેષ અગત્યની છે, કારણ કે ગ્રંથના અર્થ સમજવામા તે ઉપચેગી થાય છે અને અહુ પ્રકાશ પાડે છે. જે ગ્રંથાના અર્થ વિવેચન આ નિયમાનુસાર લખાયલા હાય તે વાચવામાં કેટલે આનદ આવે છે તે અનુભવ્યાથી ઉપર જણાવેલી હકીકતનુ સત્ય લક્ષ્યમા આવશે. 21 ચરિત્રનાયકના ઇતિહાસની સ્થિતિ. આ પટ્ટાના કન્હેં શ્રીમાન આનદઘનજીના ઇતિહાસની શોધ રતાં જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે વાચનારને અતિ ખેદ કરાવે તેવી છે. તે સંસારી અવસ્થામાં કાણુ હતા અથવા તેના ગુરૂ કાણુ હતા, તેઓએ કઈ શાલમાં જન્મ લીધા, યારે તેમના દેહાત્સર્ગ થયે અને તેથ્યાએ ક્યારે ક્યા ગુરૂ પાસે ક્યાં દીક્ષા ગ્રહણ કરી, અભ્યાસ કર્યો, ક્યાં ક્યાં વિચર્યાં વિગેરે તદ્દન સામાન્ય બાબતમા એક પણ આધારભૂત હકીકત પ્રાપ્ત થઈ શકી નથી. આત્મજ્ઞાનમાં અતિ પ્રતિ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy