SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ચોથું ૫૬. અનુભવજ્ઞાન જાગ્રત થતાં જ મોહ ખસવા માંડે છે એ સમજવાની જરૂર પડે તેવું નથી. મેહને સ્વભાવ સંસારમાં મુંઝવવાને છે, જીવને ઘેનમાં પાડવાનું છે, જ્યારે અનુભવને સ્વભાવ જીવને પિતાના સ્વરૂપનું ભાન કરાવવાનો છે. તે આ જીવને સમજાવે છે કે દારૂ પીનાર માણસ અસ્તવ્યરત બોલે છે, ગટરમાં પડે છે અને અતિ નિત્ય આચરણે આચરે છે, તેમ તું મેહમદિરા પીને ક્રેધ કરે છે, અભિમાન કરે છે, કપટજાળ પાથરે છે, ધન મેળવે છે, હસે છે, રમે છે, રડે છે, છાતી કટે છે, ભય પામે છે, હો મરડે છે કે સ્ત્રીસેવન કરે છે-એ સર્વ દારૂ પીનારનાં કૃત્ય છે, તારા જેવા શુદ્ધ સ્વરૂપવાળાને તે અઘટિત છે, માટે તું તારી જાતને ઓળખ અને મોહને તાબે થવાની તારી પદ્ધતિ છેડી દે. આવી રીતે અનભવજ્ઞાન પ્રગટ થતાં અનાદિ કાળની નિદ્રા ઉડી જાય છે. એ અનુભવજ્ઞાન પ્રગટ થતાં વધારે શું થાય છે તે આગળ બતાવે છે घट मंदिर दीपक कीयो, सहज सुज्योति सरूप; आप पराइ आपुही, ठगनत वस्तु अनुप. मुहा० २ “(અનુભવજ્ઞાન થવાથી) હૃદયમંદિરમાં કુદરતી પ્રકાશરૂપ દીપક પ્રગટ થયે, તેથી આપણું અને પારકી વસ્તુને અનુપમ રીતે પિતે જ સ્થા૫ન કરી. ભાવ–મોહની નિદ્રામાં આ જીવ પડેલે હુતે ત્યાંસુધી ઘેર અંધકાર તેના હૃદયમાં હતું, તેને જરા પણ વિવેક નાહાતે, પણ અનુભવજ્ઞાન જાગ્રત થવાથી હૃદયમંદિરમાં જે અંધકાર હતું તે દૂ» થઈ ગયે અને પિતાને કુદરતી પ્રકાશ હતું તે જાગ્રત થયે. અંધકારને લીધે આ જીવ ઉન્મત્ત થઈ કુમતિ સાથે ખેલ કરતું હતું, પણ હવે જ્યારે હૃદયમંદિરમાં જ્ઞાનજાતિને સ્વયંપ્રકાશ પડવા લાગ્યા ત્યારે શુદ્ધ ચેતના સાથેનું પોતાનું સગપણ તેને યાદ આવ્યું, વળી અત્યાર સુધી તેને સ્વપરનો વિવેક નાતે, આત્મિક વસ્તુ કઈ છે અને પાગલિક વરતુ કઈ છે તેને તેને ખ્યાલ નહોતે, તેથી સ્ત્રીને તે સર્વસ્વ માનતે હતે, ધનને પ્રાણ સમાન માનતે હો, છોકરા ૨ આપણી= જ કાનત સ્થાપના કરી અનુપ અનુપમ રીતે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy