SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા ] જીવન અને કવન ૩૩૯ શંકરાચાર્ય અને હરિભદ્રસૂરિ–દશન-દિગ્દશન (પૃ. ૮૧૪)માં શંકરાચાર્યને સમય ઈ. સ. ૭૮૮-૮૨૦ને દર્શાવાયો છે. એ હિસાબે હરિભદ્રસૂરિ શંકરાચાર્યના પુરોગામી છે. ઉદ્યોતનસૂરિના ગુર–ઉદ્યોતનસૂરિએ જે કુવલયમાલા શકસંવત ૭૦૦માં એક દિવસ એ હતું ત્યારે પૂર્ણ કરી તેની પ્રશસ્તિનું બારમું પદ નીચે મુજબ છે – “सो सिद्धतेण गुरू जुत्तीसत्येहिं जस्स हरिभदो। बहुसत्थवित्थरगन्थपयडपत्यारियसव्वत्थो ॥" હરિભદ્રસૂરિ પાસે આ ઉદ્યોતનસૂરિએ ન્યાયને અભ્યાસ કર્યો હતા એવો પાઠાંતરપૂર્વકને આને ફલિતાર્થ છે એમ કેટલાક વિદ્વાને માને છે. એ દષ્ટિએ હરિભદ્રસૂરિ ઈ. સ. ૭૭૮ની પૂર્વે વિદ્યમાન હતા એમ કહી શકાય. કમ્પની વિસે ગુણિના કર્તા અને હરિભદ્રસૂરિ– પ્રભાતની પ્રતિલેખના ક્યારે કરવી એ બાબત કપની નિન્જરિ (? ભાસ)ની ૧૬૬૧મી ગાથા ઉપરની વિસે ચુણિમા અને એના વૃદ્ધભાસમાં તેમ જ પંચવભુગ (ગા ૨૫૫–૨૫૮)ની હારિભદ્રીય ટીકામાં વિચારાઈ છે. વિસે ગૃહિણના કર્તાએ બે જ આદેશ આપ્યા છે, જ્યારે યુદ્ધભાસ અને પંચવઘુગની ટીકા (પત્ર ૪ર)માં બેથી વધારે આદેશ છે. તે અહીં એ પ્રશ્ન ઊઠે છે કે હરિભદ્રસૂરિ ઉપર્યુક્ત વિસે ગુણિણના કર્યા પછી થયો છે કે કેમ? ૧ આ પ્રશસ્તિના તેર પડ્યો “શ્રીહરિમદ્રાવાચ સમનિય” (પૃ. ૧૫-૧૬)માં અપાયેલા છે ૨ આને અંગે પાઠાંતરે જોવાય છે. જેમકે “સિન્તગુરૂ મનાઈ વરસ”. ૩ જુઓ અહ૯૫ (ભા. ૧, પૃ.૫૮૮).
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy