________________
૧૪ર
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ
વસિયાનાં સાત્વર્થક નામ છે અને એ ઉપરથી આ કૃતિના વિષયને પણ ખ્યાલ આવે છે. પ્ર. કે. વી. અત્યંકરની આવૃત્તિમાં ૧૫મી વીસિયાનું નામ પાઈયમાં છે, અને એ સિવાયની વીસિયાના નામે સંસ્કૃતમાં જોવાય છે. એ દરેક સંસ્કૃત નામના આ તમા “વિશિકા” શબ્દ છે તે બાજુએ રાખતાં એ નામે નીચે પ્રમાણે રજૂ થઈ શકે –
(૧) અધિકાર, (૨) અનાદિ, (૩) કુલનીતિ, (૪) ચરમપરિવર્ત, (૫) બીજદિ, (૬) સધર્મ, (૭) દાન, (૮) પૂજાવિધિ, (૯) શ્રાવક-ધર્મ, (૧૦) શ્રાવક-પ્રતિમા, (૧૧) યતિ-ધર્મ, (૧૨) શિક્ષા, (૧૩) ભિક્ષા, (૧૪) નદંતરાય-શુદ્ધ-લિગ, (૧૫) આયણ (આલેચના), (૧૬) પ્રાયશ્ચિત્ત, (૧૭) યોગવિધાન, (૧૮) કેવલજ્ઞાન, (૧૯) સિદ-વિભક્તિ અને (૨૦) સિદ્ધ-સુખ.
વિષય–જોકે વીસિયાઓના નામ ઉપરથી તે તે વીસિયાના વિઘયની ઝાખી થાય છે, છતાં કેટલીક વિશે બાબતો દર્શાવવા માટે અહીં હું એ વાત વીસિયાદી વિચારું છું? ' પ્રથમ વસિયાની ગા. ૩–૧ભાના વિજયનો સારાંશ ન્યાયાચાર્ય ચશેવિજ્યગણિએ સાડી ત્રણ ગાથાનું સ્તવન (ઢાલ , ગા. ૧૧-૧૬)મા આપ્યો છે. ગા. ૧૧-૧૫ વીસિયાઓના નામ પૂરા પાડે છે.
બીજી વસિયામાં જગત અનાદિ છે, એ પાચ અસ્તિકાનું બનેલું છે અને એના કોઈ રચનાર નથી એ બાબતે રજૂ કરાઈ છે. છેલ્લી બાબત નૃતત્ત્વનિગમમાં પણ જોવાય છે.
ત્રીજી વીસિયાનો વિષય કુલાચાર અને દેશાચારે છે. આમાંના
૧ ગદર્શન તથા એમવિંશિકાના પરિચય (પૃ , ટિ.)માં વીસ નામે સંસ્કૃતમાં છે. તેમા કુલનીતિકધર્મ, ચરમપરાવર્ત, દાનવિધિ અને સિદ્ધ એમ ૩, ૪, ૭ અને ૧૯ એ ક્રમાકવાળી વીસિયાના નામોમાં ભેદ છે.