SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રકાશ રંતુ આત્માનું હમેશનું સુખ અને ઉત્તમ વર્તણુકની બાબત હોય તે જગતને મેટા ભાવના વ્યવહાર આત્મિક સુખની સામેની ધાસ્તી અટકાવવા તરફ હિત નથી, પણ તેની નિશાનીઓ પણ ભલી જવામાં આવે છે. ધર્મ તરફ તેઓ ગમે તેવા અવિચારી અને બેદરકાર હોય તે પણ ખરેખર ઘણું છેડા માણસે પોતાની આત્મિક સ્થિતિ વિશેના પ્રસંગોપાતના જ્ઞાન વગર જીદગી પસાર કરી શકે એવા પણ પ્રસંગ આવે છે કે જ્યારે અંતકરણ ગમે તેવા બેદરકાર માણસને તેની ખબર આપે છે અને આત્મા તથા તેને ભવિષ્ય વિષેના ચિંતાતુર દેખાવ ઘણું કઠણ અંતઃકરણને પણ કહી દેખાડે છે. સાંસારિક સુખની શ્રેણ સંભાળ અને મોજશેખની વચ્ચે માણસને ઉડે સ્વભાવ પણ ઉંઘતે રહે છે. સામાન્ય જીવનને સપાટ પ્રવાહ સંસારમાં મગ્ન રાખે છે અને આત્માને ઉઘવાને લલચાવે છે પરંતુ લગભગ દરેક માણસને એવા પ્રસંગે અવશ્ય આવે છે કે જ્યારે સાંસારિક સુખના સપાટ પ્રવાહના જીવનમાં આંતરે પડે છે અને તેને આમા થોડા વખતની જાગૃતિનો અનુભવકરે છે. એકાંત માંદગીના બીછાનાની શાંતિમાં, સંસારના કંટાળામાં, તબીયતની ખરાબીમાં, ઘણું જ તંગીમાં, જ્યારે આપણે મશાનમાં ઉભા હોઈએ છીએ અને મનુષ્યને મરતા જોઈએ છીએ ત્યારે દરેક મનુષ્યને પરમાત્મા એક ખરી વસ્તુ છે એમ ઘડીભર માન્યતા થાય છે અને ઘણાજ અવિચારી તથા સંસાર રક્ત થયેલા મનુષ્યને પણ જરા વાર ભીને વિચારમાં પડી જવું પડે છે. અથવા જ્યારે કોઈ પાપી માણસ સંસારની અનિતાને ઘણે જ અસર કરે તે બોધ સાંભળે છે અથવા જે ઘણીજ વેરાગ્યવાળી અને પવિત્ર જીદગી કાઢે છે તેના સંબંધમાં આવે છે ત્યારે પોતાની બેદરકારી વિષે તેને દુખ ભરી લાગણી થાય છે, ઉંચા પવિત્ર જીવનના અભાવથી પિતાના તરફ ધિકાર છૂટે છે અને તેની સાથે પિતાનું જીવન સરખાવતા તેના મન માથી જાગૃતિને અવાજ ઉઠે છે પરંતુ આવા વિચારો કમભાગ્યે લાંબે વખત રહી શકતા નથી. મનુષ્યને તે વિચારોને પિતાના મનમાં ટકાવી રાખવાને ભાગ્યેજ ઈચ્છા પૂર્વક નિશ્ચય હોય છે. તેઓને આત્મિક ચિંતાઓથી પોતાના સાંસારિક વ્યવહારમાં હરકત થ ય એવી ઈછા હોતી નથી. તેમના આત્માથી તેમના માજશેખમાં
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy