SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મહાવીર પ્રકાશ. સ સમાજથી દૂર થએલે હોય તે વખતન જવા પછી અથવા પિતાના ખરાબ કામને તજી દેવાથી સામાજીક ધિક્કાર અને રવિશ્વાસની અસરથી છુટો થઈ શકે છે, અને સમાજ તેને પોતાના સમુદાયમાં કરી લે છે, પરંતુ પાપની જાહેરાતવાળાને માટે તેવા કાંઈ પણ બચાવ નથી. તેના પાપકર્મને ન્યાય સ્વતંત્ર અને અદલ છે. તે તેનું રહેઠાણ જેતે નથી, તેમજ હજારો અને લાખો વરસ જાય તે પણ તેના પાપનું પ્રાયશ્ચિત મળવામાં જરા પણ ખામી આવતી નથી. અનેક ભવ વીતિ ગયા પછી ઘણું પાપ ઉદયે આવે છે, અને તેના માઠા ફળ ત્યારે ભેગવવા પડે છે. જાગૃત થએલાપાપી માણસનું પાપ તે તેને પિતાને જ સન્મુખ રહીને દુઃખ આપે છે, તે તેના થી ભૂલાતું નથી. જાગૃતીવાળું મન પિતાને માફી મળે એવી ઈચ્છા રાખતું નથી, પરંતુ તેમાંથી મુક્ત થવાની ઈચ્છાના ભારે દુઃખમાં તે પાપની શિક્ષા ભેગવવાને તત્પર રહે છે. જે પાપના ઉદયથી પિતાને દુઃખ ભોગવવું પડે છે તે શિક્ષાના નિયમને તે વખાણે છે. ગમે તેવી સારી દયા, જરા પણ ક્ષમા કે કાંઈ પણ તેને સંતોષ આપશે નહિં, પરંતુ પાપના ફળના નિયમથી જે દુઃખની નિશાની પિતાના પર થાય, તેજ તેની શાતિનું કારણ થાય છે. મારા પાપ હું શાંતિથી ભેગવું તેજ હું પવિત્ર થાઉં એ તેને નિશ્ચય હોય છે, અને તેથી જ્યાંસુધી પાપ તદ્દન નષ્ટ થઈ અને તેના ચૂરેચૂરા થઈ જાય ત્યાં સુધી તે ધીરજથી તેની સામે ઉભે રહે છે. હવે મહાવીર પરમાત્માના જીવનમાં જે મહાવીરપણું પ્રત્યક્ષ થાય છે. અને જેમાં પાપની સંપૂર્ણ શિક્ષા આવી જાય છે. તે જાણ વાની ઉંડી જરૂર જાગૃત થએલા આત્માને છે. કારણકે એક રીતે મહાવીર પરમાત્માના જીવનમાં જે અસાધારણ પવિત્રતા છે. તેને પાપના સમૂહ સાથે કેવી રીતે ટકાવી રાખવામાં આવી છે તે આપ છે અનુભવવાનું છે. ઘોર પાપ કર્મના ઉદય વખતે. પણ તે પવિત્રતા તે શેષમાત્ર ગઈ નથી. અને ખરેખર દુઃખી અંતઃકરણને માટે તે કાંઈ ઓછા દિલાસરૂપ નથી. જે કઈ ભલે અને પવિત્ર માણસ કે ઈ ગરીબ ન્યાત બહાર થએલા માણસને માટે તેની સઘળી જુઠી વ. ર્તણુંક ભૂલી જઈને પિતે લેકેની અપકીર્તિ સહન કરે અને તે ન્યાત બહાર થએલા પાપી માણસને પિતાને પ્રેમ અને મિત્રતા બતાવે
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy