SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય અને મહાવીર મહાવીરપણાને પ્રત્યક્ષ દેખાડે છે એટલું જ નહિ પણ તે પિતે પિતાના જીવનથી તેને આત્માને એવી રીતે મળે છે અને અસર કરે છે કે જેથી મનુષ્યને અંતઃકરણની પ્રકૃતિ બદલીને તેને તેની જરૂરીઆત ભરી માગણીઓને જવાબ આપોઆપ મળે છે. આત્માને પિતાની સ્થિતિ પાછી પ્રાપ્ત કરવાને બે મોટી મુશ્કેલીઓ નડે છે (૧) દેષનું જ્ઞાન અને (૨) કર્મ દેષદૂર કરવામાં મનની નૈતિક નબળાઈ આથી જાગૃત થએલા અમાને બે ખાસ જરૂરીઆત રહે છે જેમાંથી એક ક્ષમા કરવાની (સહન કરવાની) જરૂર અને બીજી નૈતિક પરિબળની જરૂર આ બને જરૂરીઆતે પુરી પાડવાને મહાવીર પરમાત્માનું સત્ય સ્વરૂપ ઘણીજ મજબુત રીતે માણસના અંતકરણને અસર કરે છે. ૧ પાપકર્મની મુક્તિ. સંપૂર્ણ શાંતિ અને પવિત્રતાને ચાહનાર આમા પ્રથમ પાપ કર્મની મુક્તિને ચાહે છે. અને તેને માટે જે ઉડી લાગણી રહે છે તેને જવાબ મડાવીર પરમાત્મા પોતાના જીવનમાંથી આપે છે. તે શીખવે છે કે હે મનુષ્ય પ્રાણી? તું વિચાર કર કે પાપકર્મને જ્ઞાનથી તારૂં જાગૃત થયેલું મન અને તારી શક્તિ કેવી રીતે દબાઈ જાય છે? અને તે પાપકર્મને દૂર કરવાને તને કયે માર્ગ અનુકૂળ છે? મહાવીરનું જીવન તેને શુદ્ધ માર્ગ તાત્કાલિક બતાવે છે. એક કરજદાર માણસનીગુંચવાડા ભરેલી સ્થિતિને મળતી આવે તેવી જ સ્થિતિ એક કુલીન આત્માની હોય છે, જ્યારે એક માણસ ન છુટી શકાય તેટલે દેવાદાર થઈ જાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે તેની સ્થિતિ તદન નાલાયક અને નબળાઈથી ભરેલી હોય છે. માણસની શક્તિઓ પર કરજ એ મરણતલ બોજારૂપે રહે છે જે માણસ દિન પ્રતિદિન ઉપકારના બેજ નીચે દબાતે જાય છે અને થોડી મુશ્કેલી પણ દૂર કરવાને જેને કશે સંભવ જણાતું નથી તે પિતાના મનની ફરી જાગૃ ત થવાની શક્તિ ગુમાવે છે એટલું જ નહિ પણ તે ઉત્સાહ વગરને શુન્ય અને નબળે થઈ જાય છે. જ્યાં સુધી ભૂતકાળની વળગેલા ભત જેવી સ્થિતિ તેની સન્મુખ હોય ત્યાં સુધી કઈ પણ નવા કામમાં કે નવા સાહસમાં ઉતરવાની તેની હિંમત હેતી નથીતે એવું વિચારે
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy