SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય અને મહાવીર ભાના સત્યની પ્રતીતિ જાગૃત થએલા આત્માને જે રીતે થાય છે, તેની સરખામણીનું વધારે સારું ઉદાહરણ એવું આપી શકાય કે એક માણસને જેમ પિતાના ભવિષ્યના ઉલટ પાલટ થવા પછી ઘણા વરસ વીતી ગયા બાદ જે જગ્યા એ પતે સુખો દીવસે કાઢેલા હતા અને જેને તે પરિચિત છે તે જગ્યાની ફરી મુલાકાત લેવાથી તે જગ્યા વિષે તેને નવીન સંસ્કાર નહિ થતા જુના સંસ્કાર તાજા થાય છે તેમ જાગૃત થએલા આત્માને ઘણા જુના વખતનું પરિચિત મહાવીરપણું પ્રગટ થવાની સાથે તેને તેની પ્રતીતિ થાય છે. જુના દેખાવા અને જુના પદાર્થોમાં તેની સાથેને પિતાના અંતઃકરણને સંબંધ જાણ્યા વગર કોઈ મનુષ્ય ઘડા વખત સુધી લપટાઈ રહે પરંતુ તે સંબંધમાં આખરે કાંઈક એવો આભાસ થાય છે કે જેથી તરતજ યાદદાસ્તીના જુસ્સામાં જુની લાગણીઓ, જુના વિચાર અને જુના બનાવે જાગૃતીની સાથેજ હૃદયમાં ઉભરાઈ આવે છે અને બહારને દેખાવ નવી ચળવળથી ઢંકાઈ જાય છે તથા સઘળું મૂળ સ્વરૂપે નવા રૂપમાં દય થાય છે. વિચાર છે તે દેખાવ નથી પણ અંતઃકરણની કબુલાત છે અને જેમ જેમ જે દરેક પદાર્થ આખ જુએ છે તે જોનારને પિતાના ઝળકતા અને વધારે સારા ભૂતકાળનું ભાન કરાવે છે, પિતે હાલ જે સ્થિતિમાં છે તેની સાથે તે સરખામણી કરે છે અને જુએ છે કે એક વખત હું કે આનંદી, તંદુરસ્ત અને સુખી હતું તે યાદ આવતાં તેને હાલ ઘણું તીણું અને ઉંડું દુઃખ થાય છે, પિતાની મૂળ સ્થિતિ યાદ આવતા ઘણેજ તીવ્ર પશ્ચાતાપ થાય છે કે જે વર્તમાન કાળે તેના આત્માને આરપાર વેદના ઉત્પન્ન કરે છે. હવે આ પ્રકારને બરાબર મળતી જ ક્રિયા જાગૃત થએલા આત્માને સત્યની પ્રતીતિ થવામાં છે. પવિત્રતાના શાસ્ત્રીય ધોરણમાં અને મહાવીર પરમાત્માના જીવન કમમાં જે ઉચ્ચતા પ્રત્યક્ષ થાય છે તેમાં જ્યારે આમાને સન્મુખ લાવવામાં આવે છે ત્યારે તેના આંતરિક હદયમાં પિતે ગુમાવેલા શુક મૂળ સ્વરૂપને માટે તેને કાંઈક ભાન થાય છે અને તેને ખરેખરી રીતે ઘણું તીણું દુઃખ થાય છે. જે મહા મીર પરમાત્માનું જીવન આપણને તદન ન જણાય તેવું હોય તે દેહિત અંત:કરણને અધું દુઃખ ઓછું થાય. તેમાં જો આપણે ઘણે ભશકે. છે એમ જોઈએ અને જેને આ
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy