SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુને એકાંતવાસ ૯૯ હેતા નથી, અને તેથી તે કર્મ શત્રુ પર વિજય મેળવવાના માર્ગ દરેક આત્માને માટે જુદા જુદા હોય છે. એકાંતપણા વિષે જે વિચાર મેં ઉપર રજુ કર્યો છે, અને મહાવીરના જીવનની મનુષ્યપણે આત્માની એકાંત સ્થિતિ વિષે જણાવેલું છે, તેથી જરા આગળ વધીને તેમના જીવનના દુઃખના અનુભવના ચેકસ ભાગ વિષેની વધારે વિગતમાં આપણે હવે ઉતરીશું. મહાવીર જીવનના દુખનો અનુભવ. જો કે મહાવીરના દુઃખે તે અમુક આત્માના એકાંત અને ચેકસ માલીકીના દુઃખ હતા એમ કહેવાનો ભાવાર્થ નથી તેપણ બીજા ઘણા મનુષ્યના દુઃખો કરતાં તે દુઃખ ઘણા જુદા પડે તેવા હતા. તેમજ તેમના દુઃખે અસાધારણ પ્રકારના અને ન સરખાવી શકાય તેવી જાતના જુલમવાળા હતા એમ પણ કહેવાનું તાત્પર્ય નથી પરંતુ જે મુદ્દા વિષે વાંચકેનું ધ્યાન ખેંચવાની જરૂરીઆત છે તે એ છે કે આ છુપા દુઃખના સહન કરનારની પ્રકૃતિ સાથે અમુક એવી રિથતિ હતી કે જેથી તેમના દુઃખે એવા પ્ર- . કારના કહી શકાય કે તે કોઈ પણ મનુષ્યથી સહન થઈ શકે તેવા નહતા. તે ઉપસર્ગમાંથી જે અમુક સત્ય હકીકત મળી આવતી તે ઉપરથી તેમના જીવનના વર્તનમાં જે શ્રેષ્ઠતા અને અદ્વિતીયપણું હતું તે માનષિક અનુભવની શક્તિથી ન કળી શકાય તેવું હતું એમ કહેવામાં કાંઈપણ વિશેષતા જેવું નથી. તેથી કરીને મનુષ્ય જાતના ઇતિહાસમાં જે કાંઈ અનહદ દુઃખોની હકીકત મળી આવે તેના કરતાં મહાવીર પ્રભુના દુઃખો મનુષ્યપણમાં તે એકલાથીજ સહન થઈ શકે તેવા એકાંત હતા, એમ કહેવામાં પણ અતિશયોતિ જેવું નથી. કર્મશત્રુ સાથેના યુદ્ધમાં વિજય મેળવતા દુઃખના ભયંકર દબાણને એકાંતપણે સહન કરતાં તેણે મનુષ્યજાતને કમશત્રુપર વિજય મેળવવાની ઘણી કુચીઓ પરેક્ષપણે બનાવી આપી હતી. ઉપરના વિચારને અનુસરીને મહાવીર પ્રભુના દુઃખે (ઉપસર્ગો)માં જે સગો હતા તેમાના મુખ્ય એક બેપર અને કાંઈક વિચાર કરવા પ્રયત્ન કરીશું.
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy