SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બળભદ્રછનું ચાત્રિ ગ્રહણ રર૭ શ્રીનેમિએ કૃષ્ણનું મરણ જરાકુમાણના હાથે કહ્યું હતું, તે તેમજ થયું. સર્વાનું કથન શું અન્યથા થાય? કેશવે પોતાનું કસ્તભરના નિશાની તરીકે આપીને જરાકુમારને પાંડવો કે એકલતાં તે ગયે. તે સાંભળીને બલભદ્ર સત્ય માનતા –“ર દેનમ! તે મને ઠીક પ્રતિબોધ પમાડ્યો, પરંતુ હમણા ભ્ર તાના ગગગુરૂપ દુખસાગરમા મગ્ન હું શું કરૂ?” ત્યારે સિદ્ધાર્થ –“હવે પછી શ્રીનેમિના ભાતા અને વિવેકી એવા તને દીક્ષા વિના બીજું કાંઈ ઉચિત નથી.' એટલે બલદેવે હા કહી, તે દેવની સાથે સિંધુ સંગમ૫ર કૃણના દેહને ચંદનાદિક કાણથી અનિસસ્કાર કર્યો હવે રામને દીક્ષાને અભિલાષ જાણીને અસાધારણ કૃપાલુ એવા શ્રી નેમિપ્રભુએ તરત એક વિદ્યાધરષિને મેક, તેની પાસે રામે દિક્ષા લીધી, અને અગિકપર્વતના શિખર પર રહીને તે તીવ્ર તપ કરતે અને સિદ્ધાર્થ નિરંતર તેને રક્ષપાલ (રખવાલ) થશે. એક વખતે તે રામ રાજર્વિને માસખમણના પારણે કોઈ નગરમાં પ્રવેશ કરતાં, બાલકસહિત કુવાના કાંઠે રહેલી કેઈ સ્ત્રીએ જોયા તેના રૂપને જોતાં વ્યગ્ર થયેલા મનવાળી તેણીએ ઘડાને બદલે પુત્રના ગળે દોરડી બાંધી, અને જેટલામાં તે કુવામાં નાખવા લાગી, તેટલામાં બલભદ્ર સુનિએ દીઠી, અને વિચાર કર્યો કેઆ અનર્થ કરનાર એવા માગ રૂપને ધિક્કાર થાઓ. હવે પછી હું આ ગામ, નગરાદિકમાં પ્રવેશ કરીશ નહિ, પરંતુ વનમાં કાણાદિ લેનારા લોકો પાસે ભિક્ષા લઈને પાછું કરીશ,” પછી તે સ્ત્રીને પ્રતિબંધીને તેજ વખતે બલભદ્રમુનિ વનમાં ગયા, અને માસખમણદિક ઉસ્તપ તપવા લાગ્યા. પારણામા –કાણાદિ લેનારા માણસેએ લાવેલ પ્રાસુક ભક્ત–પાનાદિ જે તેઓ આપે, તે લઈને મુનિ આહાર કરતા. હવે તે તૃણુ–કાષ્ઠાદિ લેનારા લોકોએ જઈને પોતપોતાના રાજાને કહ્યું કેકઈક દેવરૂપ પુરૂષ વનમાં તપ તપે છે. તે સાભળતાં તેમને શક થઈ– આપણું રાજ્ય લેવાની ઈચ્છાથી એ આવુ તપ તપે છે? કે કંઈ મંત્ર સાધે છે? માટે આપણે જઈને તેને મારી નાખીએ.” એમ ચિંતવીને તેઓ એકી વખતે સસન્ય લઈને રામમુનિ પાસે આવ્યા. એટલે નિરંતર તેના સહાયકારી સિદ્ધાર્થ દેવે જગતને ભયંકર એવા અનેકસિ હા વિકુવ્ય, ત્યારે ચકિત થયેલા તે રાજાઓ તે મહા સુનિને પ્રણામ કરી પોતાનો અપરાધ ખમાવીને ચાલ્યા ગયા. ત્યારથી બલદેવ નરસિંહ એવા નામથી વિખ્યાત થયા. પછી તે વનમાં રહીને તપ તપતા બલભદ્ર ની શ્રેષ્ઠ પ્રદેશનાથી વાઘ, સિંહાદિ ઘણા જ વાસિત થઈને અત્યંત ઉપશમ રસને પામ્યા તેમાં કેટલાક શ્રાવક થયા, કેટલાક ભદ્રક થયા, કેટલાક કાર્યોત્સર્ગ રહા, તથા કેટલાકે અનશન કર્યું. તે બધા માસાહારથી નિવૃત્ત થયા અને જાણે તિર્થ ચરૂપ ધારી શિષ્ય હાય તેમ રામ મહામુનિના પરિપાક (પડખે રહે. નાર) થયા.
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy