SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુમપત્રીય અધ્યયન, ૨૩ ગણધર મહારાજે પ્રભુની એ પ્રમાણે વાણું થતાંજ, સર્વ કેવળીઓને ક્ષમાવ્યા. તે વખતે ગૌતમસ્વામિને ફરી વિચાર આવ્યું કે, “જરૂર હું આ ભવમાં સિદ્ધિને પામીશ નહિ, કારણ કે હું ગુરૂકમ છું. આ મહાત્માએ ને ધન્ય છે, કે જેઓ મારા દીક્ષિત છતાં તેમને ક્ષણમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.” આ પ્રમાણે ચિંતવન કરતા જોઇ, પ્રભુએ ગણધર મહારાજને કહ્યું, “હે ગૌતમ! તીર્થંકરનું વચન સત્ય કે દેવતાનું?” તીર્થકરેનું” ગણધર મહારાજે વિનય અને નમ્રતાથી જવાબ દીધો, ત્યારે પ્રભુએ તેમને આ આશ્વાસન આપતાં કહ્યું કે, હવે અધેય શખસો નહી. ગુરૂને સ્નેહ શિવ ઉપર શ્રીદળ ઉપરના તૃણની જે હેય છે, તે તત્કાળ દુર થઈ જાય છે, અને ગુરૂ ઉપર શિષ્યને હય, તે તમારે સનેહ તે ઉણની કડાહ (ચટાઈ) જેવા દ્રઢ છે, ચિરકાળ સંસર્ગથી અમારી ઉપર તમારો નેહ બહુ દ્રઢ થયેલ છે. તમારું કેવલ રૂંધાયું છે. તે સ્નેહને જ્યારે અભાવ થશે, ત્યારે તે પ્રગટ થશે.” પછી પ્રભુએ ગૌતમને અને બીજાઓને બંધ કરવાને માટે કુમપત્રીય અધ્યયનની વ્યાખ્યા કરી. ઝાડ ઊપરના પાકી ગએલા પાંદડાં ખરી પડે છે. અને નવીન પાંદડાં આવે છે. તે વખતે તે ઘણાં હુમપત્રીય અધ્ય સુંદર દેખાય છે, અને ચલકાટ મારે છે. નથી પ્રમાદ ન ક. તે જાણે ખરી ગએલા પાંડદાને હસતા રવા માટે ઉપદેશ. હોય એમ જણાય છે. તે વખતે ખી ગએલાં પાંદડાં તેમને કહે છે કે, તમે અત્યારે ગર્વ કરશે નહી. એક વખત અમારે તમારા જેજ વખત હતું, અને અમે પણ તમારી પેઠે ચમક ચમક કરી રહ્યા હતા. પણ આજે અમારી આ સ્થીતિ છે, તેથી તમે ગર્વ કરશે નહી. કેમકે કાળાંતરે તમારી પણ અમારા જેવી સ્થીતિ થવાની છે.” આ દ્રષ્ટાંત આપી ભગવંત ગૌતમસ્વામીને કહે છે કે, For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy