SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૨૩ જિન ભક્તિએ જે નવી થયુંરે, તે બીજાથી નવી થાય.” ' આવા દ્રઢ શ્રદ્ધાવાન જીવનું સમ્યકત્વ નિર્માળ છે, એમ આપણે અનુમાન કરીએ તે તે વાસ્તવિક છે. નાગરથિકના સર્વે કુમારે, વયમાં સરખા હતા. તેથી પ્રસેનજિત રાજાના કુમાર શ્રેણિક કુમારના તે અનુયાયિ-અંગરક્ષક-થયા. આ પ્રશેનજિત રાજાને ઘણા કુમારે હતા. તે સર્વમાં રાજ્યને લાયક શ્રેણિકકુમાર છે, એમ જાણે તેમને રાજ્યગાદિ આપી. ત્યારથી તે નાગરથિ પુત્ર રાજાના અંગરક્ષકમાં મૂખ્ય પદ્ધિ ભોગવવા લાગ્યા. તે સમયમાં વૈશાળીનામની નગરીમાં મહાપ્રભાવિક તે નગરીના રાજા ચેટક નામે રાજા હતા, સુલસીના પાને તેમને પૃથા નામની રાણી હતી. તે એકી સાથે નાશ રાણીથી તેમને સાત પુત્રીઓ થઈ હતી. થવો. ચેટકરાજા ભગવંત મહાવીરના શ્રાવક હતા. તેમણે બીજાના તેમજ પિતાના પુત્ર અને પુત્રીઓના વિવાહ પિતે નહી કરવાની બાધા લીધી હતી, તેથી તેમણે પોતાની કન્યા કોઈને પણ આપી નહિ. પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, જયેષ્ટા, સુદા અને ચિલણા, આ પ્રમાણે સાત પુત્રીઓ જાણે દેવકની દેવીએ ન હોય, એવી સ્વરૂપવાન, સુલક્ષણ અને સતીઓ હતી. તેઓ પણ પિતાની પેઠે શ્રાવિકાઓ હતી, અને પ્રભુ મહાવીરની ભક્ત હતી. પુત્ર પુત્રીના વિવાહ પિતે નહિ કરવા, અને તેમના લગન પિત નહિ કરવાના નિયમવાળે રાજા, તેમના વિવાહ અને લગ્નની બાબતમાં ઉદાસીન રહેતો હતો. રાણીએ યુકિતપૂર્વક જાની ગભિત સંમતિ મેળવી, રાજ્યને લાયક એવી પિતાની સાત રાજકુમારીઓ લકી, પ્રભાવતીને વીતભયનગરના રાજા ઉદાયનને આપી. પદ્માવતીને ચંપાનગરીના રાજા દધિવાહનને આપી. મૃગાવતીને શબીના રાજા શતાનીકને આપી. શિવને ઉજજયિની For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy