SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૨ ૧૦ દયાળુપણું–દયા એ ધર્મનું મૂળ છે, અને દયાને અનુકૂળજ સઘળા અનુષ્ઠાન જિદ્રના સિદ્ધાંતમાં કહેલ છે. પ્રાણીની રક્ષાને માટે જ સર્વ વતે છે શ્રી આચારાંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે, “જે તીર્થકર ભગવાન થઈ ગયા, જે હાલ વતે છે, અને અને આવતા કાળમાં થશે, તે સર્વે જણાવે છે કે;-“સર્વ પ્રાણું, સર્વ ભૂત, સર્વ જીવ, અને સર્વ સત્વને હણવું નહિં; તેમના ઉપર હુકમ ચલાવ નહિ, તેમને કબજે કરવા નહિ, તેઓને મારી નાખવા નહિ, અને તેઓને હેરાન કરવા નહિ. આ પવિત્ર અને નિત્ય ધર્મ પાળવે.” ૧૧ મધ્યસ્થ સાયદષ્ટિપણું–મધ્યસ્થ એટલે કોઈપણ દર્શનમાં પક્ષપાત રહિત, તેનામાં દ્વેષ નહિ હેવાથી, સૌમ્યદષ્ટિ રહે છે. રાગદ્વેષ રહિત હેય તે મધ્યસ્થ ગણાય છે. એ પુરૂષ ખરા ધર્મવિચારને સાંભળી શકે છે, અને ગુણેના સાથે જોડાઈ દેને દર તજી શકે છે. ૧૨ ગુણનુરાગી-ધામિક લેકમાં હેના ગુણમાં, જે હમેશાં રાજી રહે તે હેય, તે ગુણાનુરાગી ગણાય. તે પુરૂષ ગુણવાન જનો-ગુણવાનયતિ શ્રાવકાદિનું બહુમાન કરે છે; નિગુણિએની ઉપેક્ષા કરે છે, ગુણેને સંગ્રહ કરવામાં પ્રવર્તે છે, અને મેળવેલા ગુણને મેલા કરતું નથીગુણીઓના ગુણની પ્રસંશા કરવી, પણ નિર્ગુણીઓની નિંદા કરવી નહીં. તેની ઉપેક્ષા કરવી. તેમજ પરાયા દોષે સાંભળવા નહિ, કેમકે તેથી સાંભળનારનું ચિત્ત મલિન થાય છે, અને કુબુદ્ધિ ઉત્પન્ન થાય છે. ૧૩ સત્કથા–શોભન અર્થાત્ તીર્થંકર ગણધર અને મહર્ષિઓના અગ્નિ સંબંધી કથાવાતચીત–જે કરે તે સત્કથ કહેવાય છે. માટે ધર્માથીં જનેએ સત્કથ થવું જોઈએ, કે જેથી ધર્મ રત્નને ગ્ય થઈ શકે. અશુભ કથાના પ્રસંગથી કલુષિત થએલ મનવાળાનું વિવેક રત્ન નાશ પામે છે, અને ધર્મ તે વિવેક પધાન રહેલ છે, તેથી ધર્માથી પુરૂષે સત્યથ થવું જોઈએ. સારી ચા ખરાબ અથવા ખરી For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy