SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ભવ. ] શ્રેણિક રાજાનું શાલિભદ્રને ઘેર પધારવું. શાલિભદ્ર શેઠની બત્રીશ સ્ત્રીઓને પગ લુંછવા માટે તે કંબલેને કડકા કરીને મેં તેમને આપી દીધા છે. જે તે જીર્ણ રત્નકંબલના કડકાથી કાર્ય થતું હોય તે, રાજાજીને પુછીને આને લઈ જાઓ, તે રાજ પુરૂષે રાજાને આવીને તે હકિકત નિવેદન કરી. રાણું ચેલણ એ રાજાને કહ્યું કે, “આપણામાં અને એ વણિકમાં પીત્તળ અને સુવર્ણના જેટલું અંતર છે.” પિતાના નગરમાં આવા ધનાઢય પુરૂ વસે છે, તેની પિતાને ખબર પણ નથી. એવા પુરૂષોને જાણવા જોઈએ, એવી ઈચ્છાથી પોતાને મળવા શાલિભદ્ર શેઠને કહેવરાવ્યું. ગૃહ વ્યાપારના અંગને તમામ બેજે ભદ્રા માતાએ પોતાના શીર લીધે હતે. શાલિભદ્ર શેઠના ઉપર પિતાના અત્યંત પ્રેમને લીધે, તેને સંસારની કે વ્યાપારની કઈ પણ જાતની ચિંતામાં જેડયા ન હતા. તે તે પોતાના દેવ વિમાન જેવા મહેલમાં સાતમી ભુમિકા (માળ , ઉપર પોતાની સ્ત્રીઓ સાથે દિવ્ય વૈભવ ભેગવવામાં દિવસ નિગમન કરતા હતા. રાજાને મળવા જવાના વ્યવસાયમાં પુત્રને નહિ પડવા દેવાની ઈચ્છાથી, ભદ્રા શેઠાણી રાજ મંદિરમાં ગયાં, અને રાજાને નમ્રતાપૂર્વક વિનંતી કરી જણાવ્યું કે, મહારે પુત્ર કદી પણ ઘરની બહાર નિકળતું નથી. માટે આપ મારે ત્યાં પધારવાની કૃપા કરે. રાજાએ કૌતુકથી તેમ કરવાને કબુલ કર્યું. ભદ્રા ઘેર આવી પિતાના સેવક વગને, રાજમહલથી પિતાના ઘર સુધી, જે માર્ગ રાજા પિતાને ત્યાં પધારવાના તે માર્ગને ઉત્તમ રીતે શણગારવાને આજ્ઞા કરી. રાજાને લાયકના માનની તમામ તૈયારી થઈ રહ્યા બાદ પધારવાને રાજાને વિનંતી કરી. રાજા શ્રેણિક માર્ગની શોભાને જોતા જોતા શાલિભદ્ર શેઠને ઘેર આવ્યા. સુવર્ણના સ્થંભ ઉપર ઈદ્રનીશ્રેણિક રાજાનું લ મણિના તારણો ઝુલતા હતા. દ્વારની શાલિભદ્રને ઘેર ભૂમિ ઉપર મેતીના સાથીઆની શ્રેણીઓ પધારવું. કરેલી હતી. સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રના For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy