SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૪ થી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ સિદ્ધાંતમાં કહેલે આચાર જાણ; અથવા ઘણા સંવિજ્ઞ પુરૂષોએ મલીને આચરેલો આચાર, તે ભાવમાર્ગ છે. આગમા-વીતરાગનું વચન તેજ આગમ છે તેજ આત વચન છે. તીર્થકર ભગવંતના સર્વદેષ ક્ષય થયા છે. તેમણે મેહને જીતેલો છે, તેથી તે વીતરાગ છે. વીતરાગ કદી પણ હું બેલેનહિ, કેમકે તેમને જુઠું બોલવાનું કંઈ પણ કારણું અસ્તિત્વમાં નથી. નીતિ-ઉત્સર્ગોપવાદ રૂપ શુદ્ધ સંયમ પાળાવને ઉપાય તે માર્ગ. જગતમાં અંતરાત્માનુ વચનજ પ્રવર્તક અને નિવર્તક છે, અને ધર્મ પણ એના આધારે છે. માટે તે મુનિંદ્ર પ્રવચનજ પ્રથમ પ્રમાણ છે. જે એ પ્રવચન દુદયમાં હોય તે નિયમા સકળ અર્થની સિદ્ધિ થાય છે. સંવિજ્ઞ–મોક્ષના અભિલાષીને સંવેગ હેય બીજાને ન હોય. એવા ગીતાર્થ પુરૂએ જે ક્રિયા આચરી તે પણ માગે છે. જેમને વ્યવહાર અશુદધ છે, એવા પાર્શ્વસ્થ પ્રમાદી ઘણુઓએ અંગીકાર કરી આચરેલું હોય તે તે અપ્રમાણ છે. ઘણું કહેવાનું કારણ એ છે કે, એકાદ સંવિજ્ઞ વખતે અનાગ અને અનવધ વિશેરેથી છેટું આચરે માટે તે એકલા અપ્રમાણે છે; સંવિજ્ઞ ઘણામાં તેવા પ્રકારને દેષ આવવાને સંભવ નથી. તેથીજ ઉભયાનસારિણું એટલે આગમની અને ઘણા સંવિએ અંગીકાર કરેલી, અમલમાં મુકેલી જે ક્રિયા, તેજ માર્ગનુસારિણી ક્રિયા છે. જેના વડે દે અટકાવાય, અને પૂર્વનાં કર્મ ક્ષય થાય, તેજ મોક્ષને ઉપાય છે. દાખલા તરીકે ઔષધ રોગોની અવસ્થા પ્રમાણે જુદાં જુદાં અપાય છે. તે જ પ્રમાણે આગમ વચન લક્ષમાં રાખીને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ, તથા પુરૂષાદિકની ગ્યતા વિચારીને સંયમની વૃદ્ધિ કરનારૂ હેય, તેજ સંવિજ્ઞ ગીતાર્થ પુરૂષે આચરે છે, અને તેને બીજા સંવિજ્ઞગીતાર્થ પુરૂષ પ્રમાણે કરે છે. તેથી તે માર્ગ કહેવાય છે. ૧ આગમવ્યવહાર, ૨ શ્રત વ્યવહાર, ૩ આજ્ઞા વ્યવહાર ૫ અને જીવ વ્યવહાર, આ પાંચ પ્રકારના વ્યવહાર છે. For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy