SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ પી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ અપાપા નગરીમાં સામીલ નામના એક ધનાઢય બ્રાહ્મણે, યજ્ઞ કર્મમાં વિચક્ષણ એવા તે અગીયારે દ્વિજોને યજ્ઞ કરવાને બોલાવ્યા હતા. જૈન દર્શન કારોએ સમ્યકત્વ સહિતના જ્ઞાનને જ્ઞાનની કેટીમાં ગણેલ છે જેમને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નથી, એવાઓના જ્ઞાનને જ્ઞાનની કેટીમાં ગણેલું નથી; પણ અજ્ઞાનની કેટીમાં ગણેલું છે. જેને રામ્યકત્વને લાભ થયે હાય, અને સભ્યત્વમાં કાયમ હોય તેઓને જ્ઞાનને મદ થતા નથી; કદાપિ અશુભ કર્મોદયના બલથી મર થઈ આવે, તે પણ જ્યારે ગીતા જ્ઞાનીથી કિંવા બીજા કોઈ કારણથી તેઓને પોતાની ભુલ માલમ પડે, તે વખતે તે કદાગ્રહ નહી રાખતાં, સરળતા ધારણ કરી પિતાની ભુલ જોઈ શકે છે. એટલું જ નહિ પણ પોતાની ભૂલ કબુલ કરી મમત્વને છ દે છે. જ્યારે અજ્ઞાની (મિથ્યાત્વી) ને પોતાની ભુલ માલમ પડતી નથી. કદાગ્રહથી પિતાને શાસ્ત્રમર્યાદા અને ન્યાયીપણાથી વિરૂદ્ધ મત પકડી રાખી, તેની પુષ્ટી કરે છે. આને આભિગ્રહિકમિથ્યાત્વ કહેવામાં આવે છે. ઉપર જણાવેલા અગીયારે દ્વિજના સંબંધમાં પણ જે હકીકત બનેલી આપણે આગળ જોઈશું, તે ઉપરથી તેમનામાં ન્યાયી અને સરળતાને ગુણ કેટલે બધે ઉંચ કોટીને હતું તે જણાઈ આવે છે; અને તે જ ગુણના મહિમાથી તીર્થંકરથી બીજી પાયરીનું (કેટનું ), ચક્રવર્તી તથા ઈંદ્રાદિક તે પણ વંદનીય, એવું ગણધર પદ મેળવવાને તેઓ ભાગ્યશાળી નીવડે છે. ખરેખર સમ્યકત્વ એ જીવનને ઉંચકેટીમાં, છેવટે મોક્ષપદ પ્રાપ્ત થવામાં બીજભૂત છે. સમ્યકત્વરહિત છવ હજારે ભવ સુધી કષ્ટ સહન કરી અજ્ઞાન તપથી જે ન મેળવતા, તે સમ્યકત્તાન જીવ થોડાજ કાળમાં મેળવી શકે છે. દીઘ સંસારને પરિમિત કરી નાખે છે. ધન્ય છે એવા રત્નચિંતામણ કરતાં પણ અધિક મહાત્મવાળા સમ્યકત્વ ગુણને ! For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy