SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૭ ૨૭ ભવ. ] જીર્ણશેઠનું ધ્યાન. આકાશમાં દેવતાઓએ દુંદુભિને નાદ કર્યો. તીર્થકરના દાનના મહિમાના માટે પંચ દિવ્ય પ્રગટ કર્યો. “અહાદાન, અહેદાન ” એ દેવની કર્યો, વસુધારાની વૃષ્ટિ અને દેવને દેવની સાંભળી નગરજને ત્યાં ભેગા થયા. અને આ શું છે ? એ મ તે નવીન શેઠને પુછવા લાગ્યા; એટલે તેણે કહ્યું કે મેં પિતે પ્રભુને પાયમાનવડે પારણું કરાવ્યું, તેને મહિમા તે જુએ તે નગરના રાજાએ આ નવીન શેઠને ત્યાંના પારણાની વાત જાણી. રાજા અને લોકે તે નવીન શેઠની સ્તુતિ કરવા લાગ્યા. આ તરફ જીર્ણ શ્રેષ્ઠી શુભ ધ્યાનમાંને ધ્યાનમાં પિતાના ઘર આગળ ઉભા રહી પ્રભુને પધારવાની રાહ જોતા હતા. એટલામાં અહાદાન ! અહેદાન !” એ દેવતાને ધવની સાંભળ્યે, અને લોથી નવીન શેઠને ઘેર પ્રભુનું પારણું થયાની હકીકત જાણું. તેમનું શુભધ્યાન ભંગ થયું અને ખિન ચિત્તથી ચિંતવવા લાગે કે, “અહે ! મારા જેવા મદ ભાગ્યવાળાને ધિક્કાર છે. મારે મને રથ પુરે થયે નહી. મારે ઘેર પ્રભુનું પારણું થયું નહી, અને નવીન શોઠને ઘેર પારણું થયું. ખરેખર એ નવીન શેઠની પુયાઈ ચઢતી છે, અને મારી ઉતરતી છે. જે તેમ ન હોત તે પ્રભુ હારે ઘેર પારણું કરવાને પધારત” પારણું કર્યા પછી પ્રભુ તે અન્યત્ર વિહાર કરી ગયા. તે સમયમાં તેજ ગામના ઉદ્યાનમાં તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના એક કેવળી શિષ્ય પધાર્યા. રાજા અને નગરજનેને ખબર થઈ. તેઓ કેવળી ભગવંતને વંદન કરવા આવ્યા; વંદન કર્યું. કેવળી ભગવંતે દેશના આપી. દેશનાના અંતે રાજાએ કેવલી ભગવંતને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત ! આ મહારી નગરીમાં મોટા પુણ્યના સમુહને ઉત્પન્ન કરનારા કેણું છે?” “જીએછી સર્વથી અધિક પુણ્યવાન છે,”કેવલી ભગવંતે ઉત્તરમાં જણાવ્યું. રાજાએ બે હાથ જેલ ખુલાશે પુછે કે, “ “ શા કારણથી ?” તેણે કંઈ પ્રભુને પારણું કરાવ્યું નથી. તે For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy