SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ભવ. ]. સંગમના ઉપસર્ગ ૧ શ્વાસોશ્વાસ લેવાને પણ અશકત થઈ ગયા. તે પણ પ્રભુ એક તિલ માત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહી. “ગમે તેવા શક્તિવાન ગજે દ્રોથી પણ શું કુલગિરિ ચલિત થાય છે ?” ૨ તે પછી રજને દૂર કરીને પ્રભુના સર્વ અંગને પીડા કરનારી વજમુખી કીઓ ઉપ્તન્ન કરી. તે કી છડીએ પ્રભુના અંગમાં એક બાજુથી પેસીને વેચ્છાએ બીજી બાજુએ આરપાર વચમાં જેમ સેય નીકલે તેમ નીકળતી, અને તીક્ષણ મુખાથી પ્રભુના સર્વ અંગને વધવા લાગી. નિર્ભગીની સર્વ ઇચ્છાઓ નિષ્ફળ થાય તેમ આ પ્રયત્નમાં પણ તે દેવ નિષ્ફળ નીવડા અને પ્રભુ ધ્યાનમાંથી ડગ્યા નહી. ૩ ત્રીજા ઉપસર્ગમાં તે દેવે પ્રચંડ પારષદે (ડ ) વિકુ વ્ય. “ દુરાત્મા પુરૂષોના અપકૃત્યને અંત હેતે નથી”. તે ડાંસ ના એક એક ડંસમાંથી નીકળતા ગાયના દુધ જેવા રૂધિર વડે પ્રભુ નિઝરણા વાળા ગિરિની જેવા દેખાવા લાગ્યા. તેમાં પણ તે ફાવ્યા નહી. ૪ ચેથા ઉપસર્ગમાં પ્રચંડ ચાંચવાળી દુર્નિવાર ધીમેળે વિકુર્વિ. પ્રભુના શરીર ઉપર તેઓ મુખથી એવી એંટી ગઈ કે, જાણે શરીર સાથે જ ઉકેલી રેમ પંકિત હોય તેવી દેખાવા લાગી. તેથી પણ મહાયેગી પ્રભુ ચલિત થયા નહીં. પ પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાના નિશ્ચયવ ળા તે દુરાત્માએ વિંછીએ વીકુવ્ય. તે વીંછીઓ પ્રલયકાળના અગ્નિના તણખા જેવા, અને તપાવેલા ભાલાના જેવા, પોતાના ભયંકર પુછના કાંટાઓથી ભગવંતના શરીરને ડંખ દેવા લાગ્યા તેથી પણ પ્રભુ આકુલ વ્યાકુળ થયા નહીં. - ૬ સાતમા ઉપસર્ગમા ઘણા દાંતવાળા નકુળ (ળ) વિકુવ્યો. ખી! ખી! એવા વિરસ શબ્દ કરતા, તેઓ પોતાની ઉગ્ર દાઢાથી ભગવંતના શરીરમાંથી તેડી તોડીને માંસના ખંડે જુદા પાડવા લાગ્યા. આ પ્રયત્નમાં પણ તે ફળીભુત થયે નહીં, For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy