SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭ ભવ. ] સ્થલપાણુ યક્ષને પ્રતિબોધ. ૨૭૯ ગામના લેક પરસ્પર વાત કરવા લાગ્યા કે, જરૂર પેલા મુનિને અત્યારે તે વ્યંતર મારી નાખશે. યક્ષના આ ભયંકર અટ્ટહાસ્યથી પ્રભુ ભ પામ્યા નહીં, અને સહેજ પણ થાનાવસ્થામાંથી ડગ્યા નહીં, એટલે તે વંતરે મહા ઘોર હાથીનું રૂપ વિકુછ્યું તેથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં, એટલે ભૂમિ અને આકાશના માનદંડ જેવું પિશાચનું રૂપ વિકુવ્યું. તેથી પણ પ્રભુ ક્ષેભ પામ્યા નહીં. પછી તે દુષ્ટ યમરાજના પાશ જેવું ભયંકર સર્પનું રૂપ વિકવ્યું. અમેઘ વિષના ઝરા જેવા તે સર્પ પ્રભુના શરીરને દઢ રીતે વીંટળાઈ ગ, અને ઉગ્ર દાઢેથી ડસવા લાગ્યું. તે પણું પ્રભુ ધ્યાના વસ્થામાંથી લગીર માત્ર ચલાયમાન થયા નહી; અને પિતાને આ પ્રયત્ન નિષ્ફળ ગયે એમ જાણું, તેણે પ્રભુના શીર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પૃષ્ટ, અને નખ એમ સાત સ્થાનકે વેદના પ્રગટ કરી, આશાત વેદના પૈકીની એક વેદના જ સામાન્ય મનુષ્યને તે મૃત્યુ પમાડવાને સમર્થ હતી. છતાં આ સાતે વેદના પ્રભુને ધ્યાનમાંથી ચલાવવાને નિષ્ફળ નીવડી. વ્યંતરે આ વેદના કરવામાં પિતાનું જેટલું બળ હતું, તેને ઉપયોગ પ્રભુના ઉપર કર્યો હતે. વ્યંતર આખરે થાક, અને પ્રભુના અતુલ બળ અને સહન શીલતાથી વિસ્મય પામે. પ્રભુની આ દઢ ધ્યાનાવસ્થાએ વ્યંતરના મન ઉપર ભારે અસર કરી, અને તેને ગર્વ નાશ થા. તે અંજલી જેડીને પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે હે દયાનિધિ ! આપ મહાશયની શકિત ને નહી જાણનાર એવા મેં દુરાત્માએ આપને અત્યંત અપરાધ કર્યો છે, તે ક્ષમા કરે. જ્યારે અશુભ કર્યોના વિપાક જીવે ને પિતાનું ફળ દુઃખરૂપે બતાવે છે, ત્યારે પિતાની ઉપર કૃપા ધરાવનાર દેવે પણ મદદ કરી શકતા નથી. તેજ બનાવ આ સ્થળે બને છે. ઈદ્ર પ્રભુને પ્રાણાંત ઉપસર્ગ વખતે મદદ કરવા 27 For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy