SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ આસન ઉપ થતાં ૨૭ ભવ. J. પ્રભુ અધ્યાપક શાળામાં. કરવા લાયક જનેને આમંત્રણ કરી, મેટા આડંબર પૂર્વક વડે ચઢાવી અધ્યાપકશાળાએ ગયા, અને અધ્યાપકની પાસે પ્રભુને બેસાડયા. - ભગવંત નહાના બાળક છતાં મહાન ગંભીર સ્વભાવના હતા. પિતાને ભણવા જેવું કંઈ નથી, અને આ સઘળે ઠઠાર કરવાની કંઈ જરૂર નથી એમ લાગ્યું; છતાં ગર્ભમાંથી જ વિનયવાન આ બુદ્ધિશાળી અને વિનયવાન બાલક, પિતાની છત નહિ જણાવતાં માતાપિતાની આજ્ઞા મુજબ નિશાળે ગયા. તીર્થકરોના આચારથી વિરૂદ્ધાચારની થતી વિધિના પ્રસંગે ઈદ્ર મહારાજનું આસન ચલાયમાન થાય છે. આસન ચલાયમાન થતાં ઇંદ્ર તેના કારણને તપાસ કરવા અવધિજ્ઞાનને ઉપગ મુક, અને ભગવંતને ભણવા સારૂ નિશાળે ભણવા મકવાને વિધિ થતે છે. તેઓ વિચાર કરવા લાગ્યા કે, ભગવંતને શું ભણવાનું છે ? તે તો સ્વયં બુદ્ધિશાળી છે. તેમને ભણવા જેવું કંઈ છે જ નહિ. આંબાને તેરણ બાંધવું, અમૃતની અંદર મીઠાશ નાખવી, અને સરસ્વતિને ભણાવવી, તેના જે આ બનાવ છે. ભગવંત તે વિના અભ્યાસે પંડિતજ છે. તે એમને ભણાવવાને નિરર્થક ઉદ્યમ શાને કરવાને? આતે તીર્થકરને અવિનય અને આશાતના થાય છે એમ વિચારી ઈદ્ર મહારાજ, વૈક્રિયલબ્ધિથી એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઇ, જે અધ્યાપકશાળાએ પ્રભુને ભણવા બેસાડવા લઈ જવામાં આવ્યા હતા, અને જ્યાં માટે જન સુમદાય મળેલ હતું, તે સ્થળે જઈ બેઠા અને કેટલાક શાસ્ત્રના પ્રશ્નને પ્રથમ ઉપાધ્યાયને પુછયા. પરંતુ ઉપાધ્યાયથી તેના બરાબર જવાબ અપાયા નહીં. ત્યારે તે વૃદ્ધબ્રાહ્મણે ભગવંતને તેજ પ્રશ્નને પુછયા. તેના તૂત ઉત્તર ભગવંતે આપ્યા. વ્યાકરણ ગણિ તાદિ વિષચેના ઘણા ગુઢ અને ભગવંતને પુછવામાં આવ્યા, તેના પણ ઉત્તર ભગવતે આપ્યા.તે વખતે ઉપાધ્યાય મનમાં વિચાર કરવા લાગ્યા કે મહારા મનના જે સંદેહ છે, તે તે હજુ સુધી કોઈ પંડિત For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy