SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ભવ. ] શ્રુત જ્ઞાન સ્વરૂપ. ૧૪૫ શ્રુત જ્ઞાની દ્રવ્યથી ઉપયેાગવ'ત થકા સવ દ્રવ્ય જાણે દેખે, ક્ષેત્ર થકી ઉપયોગી શ્રુતજ્ઞાની સ ક્ષેત્ર લેાકાલેાક જાણે દેખે, કાળ થકી ઉપયાગી શ્રુતજ્ઞાની સ કાળ જાણે દેખે, અને ભાવ થકી ઉપયેગવંત શ્રુતજ્ઞાની સવ ભાવ જાણે દેખે. તે માટે સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને શ્રુતકેવલીની ઉપમા આપવામાં આવે છે. કુંવળજ્ઞાની કેવળજ્ઞાનથી પદાર્થનું જે સ્વરૂપ જાણે દેખે છે, તેજ પ્રમાણે શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનના મળથી જાણે દેખે છે. એ શ્રુતજ્ઞાનીઓ શ્રતકેવલી કહેવાય છે. શ્રુતજ્ઞાન સ્વપરને પ્રકાશ કરનાર છે, જ્યારે બાકીના ચાર જ્ઞાન ફક્ત તેના જાણનારનેજ એધદાયક છે. તે બીજાને મેષદાયી નથી. અપેક્ષાથી તે ચારને મુંગાની ઉપમા આપવામાં આવેલી છે. શ્રી જીનેશ્વર કેવલજ્ઞાન પ્રગટ થયા પછી સમેાવસરણુમાં અમૃત સમાન ખત્રીસ દેષ રહિત દેશના આપે છે, જે દેશના ચૈાજન પ્રમાણુ ભૂમિમાં ફેલાવા પામે છે. તે પ્રભુ દેશનામાં જે કથન કરે છે, તેજ શ્રુતજ્ઞાન તે દેશનાને ગણધર મહારાજ સૂત્ર રૂપે રચના કરે છે. તેનેજ દ્વાદશાંગી કહે છે. શ્રુત, સિદ્ધાંત, આગમ, સમય એ બધાશ્રુતના પર્યાયવાચી શબ્દ છે. ૧ દ્રવ્યાનુયોગ ૨ ચરણકરણનુયાગ ૩ ગણિતાનુચાગ અને ૪ ધ કથાનુયાગ એ આગમનાજ ભાગ છે. શ્રુતજ્ઞાનના અભ્યાસથી જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયે પશમ થાય છે, તેથી ઉત્તરાત્તર મેધ કહો કે બુદ્ધિ કહા તે વધતી જાય છે. ૧ શુશ્રુષા ( સાંભળવાની ઇચ્છા ) ૨ શ્રવણુ કરવું, ૩ ફ્રી પૂછવુ'. ૪ મનમાં અવધારણ કરવું: ૫ ગ્રહણુ કરવુ. હું વિચારવુ ૭ નિશ્ચય કરવા અને ૮ ધારણ કરી રાખવું. એ પ્રમાણે બુદ્ધિના આઠ ગુણ છે. આમાં જે ક્રમ બતાવ્યે છે, તે ક્રમથી અભ્યાસ કરવાથી જ્ઞાન પરિપકવ થાય છે. 19 For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy