________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ ભવ. ]
બાર ચક્રવર્તમ સમય. સુખના કારણે, પરિણામે સુખકાર્યની સંતતિ, મહા કલ્યાણકના દિવસમાં પૂજા કરવી, તીર્થકરની સેવા, શુભ ધમને સાંભળવામાં પ્રીતિ, નિરંતર સુખીપણું એ સર્વની પ્રાપ્તિ થવી એ પરંપરા ફળ છે.
આ ભરતક્ષેત્રમાં બાર ચકવતી થયા છે તે કયા કયા તીર્થંકરના સમયમાં કયારે કયારે થયા અને તેમનાં નામ શું છે એ આ પ્રસંગે જાણવાની જરૂર છે,
૧ પહેલા ચક્રવતી શ્રી ભરત મહારાજ પહેલા તીર્થકર શ્રી રૂષભદેવ સ્વામીના સમયમાં થયા છે.
૨ બીજા સગર નામના ચક્રવતી બીજા તીર્થકર શ્રી અજિત નાથ સ્વામીના સમયમાં થયા છે.
૩-૪ ત્રીજા શ્રીમધવા નામના ચકવતી અને ચોથા શ્રી સનસ્કુમાર ચકવતી પંદરમાં તીર્થકર શ્રી ધર્મનાથ સ્વામી તથા સોલમા તીર્થંકર શ્રી શાન્તિનાથ મહારાજના આંતર સમયમાં થયા છે.
૫ પાંચમા ચક્રવર્તી શ્રી શાન્તિનાથ ભગવંત પોતેજ છે. ૬ છઠ્ઠા ચક્રવર્તી સતરમાં તીર્થકર શ્રી કુંથુનાથ ભગવંત છે.
૭ સાતમા ચક્રવતી અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ થયા છે.
ટીપ:- આ ત્રણે તીર્થકરોને ચક્રવતી અને તીર્થકર એ બે પ્રકારની અદ્ધિ હતી.
૮ આઠમા શ્રી સુભુમ ચક્રવર્તી અઢારમા તીર્થંકર શ્રી અરનાથ અને ઓગણીસમા તીર્થકર શ્રી મલિલનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે.
૯ નવમા શ્રી પવ ચકવતી. ૧૦ દશમા શ્રી હરિષણ ચક્રવતી.
For Private and Personal Use Only