SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, ફિફાર વિગેરે યથાસંભવ પિતાની મેળે વિચારવા લાગ્યા છે. સર્વવર્ણન કરવાથી ગ્રંથ વધી જાય, માટે ઉપર કહેલા દિગદર્શન માત્રથી જ શેષ સર્વસ્વરૂપ વિચારવું. . ૮૫ છે અવતાજ –હવે આ ગાથામાં વૈતાઢચની બે ગુફાઓનાં નામ અને સ્થાન કહે છે– सा तमिसगुहा जीए, चक्की पविसेइ मज्झखंडंतो। उसहं अंकिअ सो जीए, वलइ सा खंडगपवाया ॥ ८६ ॥ શબ્દથઃ સાતે ૩સદૃષભકૂટને તમાં તમિસાગુફા જિ-અંકિત કરીને (નામ લખીને) જી-જેના વડે, જેમાં થઈને -તે, ચકવતી જિદ-પ્રવેશ કરે વર–પાછો વળે મHવંદગંતો-મધ્યખંડની અંદર ચંપવાના-ખંડપ્રપાતા ગુફા. સંસ્કૃત અનુવાદ. सा तमिस्रगुहा यस्यां चक्री प्रविशति मध्यखंडान्तः । ऋषभमंकयित्वा यस्यां वलति सा खंडकापाता ।। ८६ ॥ પથાર્થ –જે ગુફામાં થઈને ચકવતી મધ્યખંડની અંદર (ઉત્તરાખંડમાં) પ્રવેશ કરે છે, તે તમિસ્ત્રગુફા, અને જેમાં થઈને ચક્રવતી પાછો વળે છે તે અંકપ્રપાતા ગુફા. એ ૮૬ છે વિસ્તરાર્થ –દક્ષિણભરતના ત્રણે ખંડ જીતીને ચક્રવતી ઉત્તરભારતના ત્રણ ખંડ જીતવા જાય છે, ત્યારે દક્ષિણભરતના મધ્યભાગથી પશ્ચિમદિશામાં, પરન્તુ સિંધુ નદીથી પૂર્વ દિશામાં આવેલી તમારા નામની ગુફા છે, તેમાં થઈને ચક્રવતી ઉત્તરભારતમાં જાય છે, અને ઉત્તરભરતક્ષેત્રના ત્રણે ખંડ જીતાઈ રહ્યા બાદ ભરતના મધ્યભાગથી પૂર્વમાં પરંતુ ગંગાનદીથી પશ્ચિમદિશામાં જે બીજી હિંદગત નામની ગુફા છે તેમાં થઈને ચકવતી દક્ષિણ ભારતમાં પાછો વળે છે. એ વિગત પ્રથમ કહેવાયલી છે. વળી ઉત્તરભારતના ૩ ખંડ જીત્યાબાદ ઉત્તરભારતના મધ્યભાગમાં લઘુ
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy