SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ જ્ઞાન ૨૩૩ સમયનાં, કે બે સમયનાં કે ત્રણ સમયનાં, કે ચાર સમયનાં, કે યાવત સંખ્યાત સમયનાં, કે અસંખ્યાત સમયના પ્રવેશ્યાં શબ્દપુદગલને ગ્રહ્યાં ? ગુરુ કહે છે-એક સમયનાં નહિ, બે-ત્રણ-ચાર યાવત સંખ્યાત સમયમાં નહિ, પણ અસંખ્યાત સમયનાં પ્રવેશ્યાં શબ્દવુગલને ગ્રહ્યાં. એમ ના કહેવાથી પણ શિષ્યને સમજણ પડી નહિ ત્યારે બીજું મલક (સરાવાલા) નું દષ્ટાંત કહે છે – જેમ, કુંભારના નીંભાડામાંથી તરતનું લાવેલું કેરુ સરાવલું હોય ને તેમાં એક જળબિંદુ મૂકે, પણ જે જળબિંદુ જણાય નહિ; એમ બે, ત્રણ, ચાર, ઘણાં જળબિંદુ મૂકે પણ તે સરાવલું બરાબર ભીંજાય નહિ, પણ ઘણું જળબિંદુથી ભીંજાયા પછી જળબિંદુ એક ઠરે ને એમ કરતાં વધતાં વધતાં પ સરાવલું થાય, પછી અર્ધ ને ઘણી વખતે પૂર્ણ ભરાય પછી તે સરાવલું ઊભરાય, તેમ કાનનાં એક સમયનાં પ્રવેશ્યાં પિઠ) પુદગલને મળી શકે નહિ. જેમ એક જળબિંદુ સરાવવામાં જણાય નહિ, એમ બે, ત્રણચાર, સંખ્યાન સમયમાં પણ પુદગલને ગ્રહી શકે નહિ. પણ વ્યંજન અવગ્રહમાં અસંખ્યાત સમય જોઈએ ને તે અસંખ્યાત સમયનાં પ્રવેશ્યાં પુગલ જ્યારે કાનમાં ભરાય અને ઊભરાઈ જાય ત્યારે હું એમ કહી શકે, પણ સમજે નહિ એ કેને શબ્દ, એ વ્યંજનાગ્રહ. ' અર્થાવગ્રહના છ ભેદ શ્રોકિય અર્થાવગ્રહ, ૨ ચક્ષઈદ્રિય અર્થાવગ્રહ, ૩ ઘાણે દ્રય અર્થાવગ્રહ, ૪ રસેંદ્રિય અર્થાવગ્રહ, ૫ સ્પર્શેદ્રિય અર્થાવગ્રહ, કે ઈધિ (મન) અથવગ્રહ. એ અવગ્રહનાં નામ માત્ર છે. તેના અર્થ સમજાવે છે. શ્રોતેંદ્રિય અર્થાવગ્રહ-તે કણે કરી શબ્દન, અર્થને ગ્રહે. ચક્ષુઈદ્રિય અર્થાવગ્રહ–તે ચક્ષુએ કરી રૂપના અર્થને ગ્રહે. ધ્રાણેદ્રિય અર્થાવગ્રહ-તે નાસિકાએ કરી ગધના અર્થને ગ્રહે. રસેંદ્રિય અર્થાવગ્રહ-તે છવહાબે કરી રચના અર્થને ગ્રહે. સ્પશે દ્રિય અર્થાવગ્રહ-તે શરીરે કરી સ્પર્શના અર્થને ગ્રડે. નોઈદ્રિય અર્થાવગ્રહ-તે મનદ્વાર દરેક પદાર્થના અર્થને ગ્રહે. વ્યંજનાવગ્રહના ચાર ભેદ અને અર્થાવગ્રહના છ ભેદ મળી અવરહના એ દશ ભેદ છે. અવડે કરી સામાન્ય પ્રકારે અર્થને ગ્રહે, પણ જાણે નહીં, જે એ કોના શબ્દ ગંધ પ્રમુખ છે ! પછી ત્યાંથી ઈહા મતિજ્ઞાનમાં પ્રવેશ કરે. ઈહા તે વિચારે, જે અમુકને શબ્દ વ ગંધ પ્રમુખ છે, પણ નિશ્ચય થાય નહીં. પછી અવાય મતિજ્ઞાનમાં પ્રવેશ કરે. અવાય તે નિશ્ચય કરો, જે એ અમુક જ શબ્દ વા ગંધ પ્રમુખ છે પછી ધારણા મતિજ્ઞાનમાં પ્રવેશ કરે. ધારણા તે ધારી રાખે. જે અમુક શબ્દ વા બંધ પ્રમુખ આ પ્રકારે હતો. એમ ઈંહાના ખભેદ. શ્રોતેંદ્રિય ઈહા, યાવત ઈદ્રિય ઈડા. એમ ચાવાયના છ ભેદ શ્રોતેંદ્રિય અવાય, વાવત નોઈદ્રિય અવાય. એમ ધારણાના છ ભેદ શ્રોતેંદ્રિય ધારણા, વાવત નોઈદ્રિય ધારણા.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy