SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ પ્રસ્તાવના પડયે પ્રભાવક, પ્રચારક યુગપ્રધાન અને ધર્મ ધુરંધરો એ વહેતા પ્રવાહને વિષે દેશ કાલને અનુસરી પુનર્ઘટનાના નવા સંસ્કારના પ્રાણ પૂરે છે, એ રીતે ધર્મ સંપ્રદાયે પિતાના અનુયાયીઓ અને અનુરાગીઓને આલેક તેમજ પરલેકના કલ્યાણમાં સાધનરૂપ બને છે. ખરતરગચછના એક મહાન આચાર્ય શ્રીજિનચન્દ્ર સૂરિનું જીવનવૃત્તાન્ત બહાર પાડી લેખક. નાહટાજીએ એક સારી ઈતિહાસ સેવા કરી છે. ખરતરગચ્છીય સાધુઓએ જૈન શાસન અને સાહિત્યની ઘણી સેવા બજાવી છે. અને હજુ સુધી કાળના પ્રવાહમાં દેદિત રહી તે ગરછ વિદ્યમાન છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે પ્રાયઃ ગુજરાતમાં, પશ્ચિમ હિંદમાં તપાગચ્છના સાધુઓને વિહાર અને પ્રભાવ જામી રહ્યો ત્યારે પ્રાય: મેવાડ, મારવાડ આદિ રાજપૂતાનામાં અને ઉત્તર હિંદમાં ખરતરગચ્છના સાધુઓને વિહાર અને પ્રભાવ થતો રહ્યો. તપાગચ્છ વાળાનું સાહિત્ય ગુજરાતમાં તપાગચ્છીય શ્રાવક અને સંસ્થાઓએ પ્રકટ કરવાનું સતત જારી રાખ્યું, જ્યારે દુર્ભાગ્યે ખરતરગચ્છીય સાહિત્યને વિશેષ પ્રમાણમાં સતત બહાર પાડવા અર્થે કઈ જબરી સંસ્થા કે શ્રીમંત હજુ સુધી મળી શકેલ નથી. તેથી તેમનું સાહિત્ય બહુ અલ્પ પ્રકટ થયું છે. અને તે ગચ્છની શાસન સેવા પ્રકાશમાં પૂરતી રીતે આવી નથી. લેખક શ્રી નાહટાછે ખરતરગચ્છ પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈ તે ગચ્છની શાસન સેવા અને સાહિત્ય સંપત્તિ જનતા સમક્ષ મૂકવાના દઢ અભિલાષ સેવી રહ્યા છે. અને તેને પ્રથમ પ્રયાસરૂપે બે ત્રણ ગ્રન્થ બડાર પાડી આ જીવનચરિત્ર અનેક પ્રમાણે સહિત પરીશ્રમપૂર્વક લખી પ્રકટ કરે છે અને ઐતિહાસિક જેન કાવ્ય સંગ્રહ નામનો સંગ્રહ પિતાની માહિતી ભરપૂર પ્રસ્તાવના સહિત ઘેડા સમય પછી પ્રકાશિત કરશે (કરી ચૂક્યા છે), તે સ્તુત્ય છે. તેમની શુભેચ્છા પાર પડે એ સૌ કઈ ઈચ્છશે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy