________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠાઓ
૧૨૯ જૈનશાસન તેમજ દેશની સેવા અને ઉન્નતિ કરવામાં આગેવાન હતા. એ વાતનો ઉલ્લેખ વિહારપત્ર નં. ૧માં આ પ્રમાણે છે. _ "तत्र बरहानपुरी श्रीजीए चीतार्या, पछई ईडर प्रमुख गामे थई घणा लाभ लई राजनगरि आव्या. अत्र * श्रीकमचन्द मत्री પરોક્ષ .
મંત્રીશ્વર કમચન્દ્રના મૃત્યુની સાલ સાહિત્યસંસારમાં અલભ્ય છે. આથી એમના સંબંધમાં અનેક ભ્રમાત્મક કિંવતિઓ (દંતકથાઓ) વહેતી થઈ છે, વિહારપત્રદ્વારા આ મહત્વપૂર્ણ સંવતને નિર્ણય થતાં અનેક ભ્રમોનું નિવારણ થઈ જાય છે. આ બાબતમાં વધુ ચર્ચા મંત્રીશ્વર કર્મચન્દના જીવન પરિચયમાં કરવામાં આવશે.
શ્રીસુંદર કવિએ રચેલ “વિમલાચલ સ્તવન” ગા. ૯ પરથી જાણવા મળે છે કે આ સાલ(૧૯૫૬)માં માધવ (વૈશાખ) સુદિ ૨ ના રોજ સંઘની સાથે સૂરિજી મહારાજે ગિરિરાજ
| ‘અત્રે એ શબ્દથી વિવિક્ષિત ક્ષેત્રજ માની લેવું, એ એક જાતની ભ્રમણા છે. વર્તમાનકાળના અર્થમાં પણ વપરાએલ “અ” શબ્દ સાહિત્ય સંસારમાં દૃષ્ટિગત થાય છે, એટલે “અત્રે એ શબ્દ માત્રથી એમનો સ્વર્ગવાસ ક્ષેત્ર “અમદાવાદ માનવાને વિચાર મનુષ્ય ત્યાં સુધી તૈયાર નહીં થાય કે જ્યાં સુધી મંત્રીશ્વરનું સ્વનિવાસ સ્થાન લાહોરથી અમદાવાદ આવવામાં કોઈ ખાસ કારણ એતિહાસિક પ્રમાણેદારો ઉપસ્થિત ન કરાય, હા જ્યારે સૂરિજી ઇડર તરફના વિહારથી પાછા અમદાવાદ આવ્યા. ત્યારે સૂરિજી મહારાજને મંત્રીશ્વના સ્વર્ગગમનના સમાચાર મલ્યા હોય અને એને અંગે ત્યાંના સ્થાનિક સંઘમાં શોકની લાગણી છવાઈ ગઈ હેય, એ વાત જરૂર બનવા અને માનવા લાગ્યા છે. (ગુ સ. ના સંપાદક)