SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ણનું કારણ છે. તે નિરર્થક તે નથી જ. પણ તેથી નિરાબાધ સુખ શાંતિવાળા મોક્ષની પ્રાપ્તિ થતી નથી, તેને માટે તે શુભાશુભ અને પ્રકારનાં બંધનોને નાશ કરવો જોઈએ અને શુદ્ધચિકૂપ આત્માનું ધ્યાન કરવું જોઈએ. કેવળ ગુણસ્થાનની વંદનાથી જીવને વીતરાગ સ્વસંવેદનતાવાળું સુખ પ્રાપ્ત થતું નથી એ કહેવાનો આશય છે. જેમ મીયાનનું વર્ણન કરવાથી ખડ્ઝનું વર્ણન થતું નથી, થયું મનાતું નથી, તેમ અચેતન દેહની સ્તુતિ કરવાથી જ્ઞાન સ્વરૂપ આત્માની સ્તુતિ થઈ ન જ ગણાય, જેમ ખથી ફાડવું ચીરવું કાપવું આદિ કાર્ય થાય છે તે મીચાનથી થતું નથી, માટે જ મીચાનથી ખગ્ન જુદાં છે. તેથી મીયાનનું વર્ણન કરવાથી ખત્રનું વર્ણન થતું નથી. તેની માફક સાત ધાતુવાળું શરીર અચેતન છે તેના વર્ણનથી આત્માનું વર્ણન થતું નથી. જ્ઞાન લક્ષણવાળો આત્મા ચેતન છે તે ચેતનનું કામ જડ શરીર કરી શકે નહિં તેથી દેહની સ્તુતિથી આત્માની સ્તુતિ ન મનાય પણ આત્માની સ્તુતિથી આત્માની સ્તુતિ મનાય. જેની પ્રતીતિ થવા છતાં પણ જે કોઈ વખત પ્રતીત થતું નથી તે તેનાથી સર્વથા ભિન્ન છે. જેમ રસથી રૂપ ભિન્ન છે. શરીરની પ્રતીતિ થવા છતાં ચૈતન્યની પ્રતીતિ થતી નથી માટે દેહ ચિતન્યથી જુદું છે. પણ જ્ઞાન લક્ષણથી આત્મા જુદો નથી. જે દેહ રૂપ આત્મા મનાય તે દેહની પ્રતીતિ થાય છે તે વખતે આત્માની પ્રતીતિ થવી જોઈએ
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy