SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. તેના તરફ ખેંચાઈ આવીને સ્કંધરૂપે સ્થૂલ ભાવે સંગ્રહ થાય છે. એની સાથે, બે, ત્રણ, ચાર, સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા આશુઓ મળીને પોતાની મેળે જ આંધ રૂપે પરિણમે છે તેમ જીવના શુભાશુભ પરિણામમાં પણ રાગ ષની લાગણીઓ રૂપ ચિકાશ રહેલી હોવાથી તે ચિકાશના તરફ પુગલ પરમાણુઓ-કર્મને રેગ્ય પગલાને જથ્થો સ્વભાવિક ખેંચાઈ આવીને તે શુભાશુભ પરિણામોની સાથે સંબંધમાં આવીને કર્મની સાથે જોડાઈને કર્મ રૂપે પરિણમી બીજ રૂપે આત્મ પ્રદેશની સાથે સત્તામાં જમા થાય છે, અને તેની પરિપકવ દશા–ભેગવવાને ચગ્ય વખત આવ્યે તેનાં શુભાશુભ વિપાકે ઉદય આવે છે. એ ઉપરથી એ નિર્ણય થાય છે કે પુગલેને કર્મસ્વરૂપે પરિણામવવામાં અન્ય જીવાદિ કારણે નથી પણ શુભાશુભ પરિણામોની સાથે સંબંધ થતાં તે પુદગલે જ કર્મરૂપે પરિણમી જાય છે. જે આ પુદ્ગલેને કર્મરૂપે પરિણમવા ન દેવાં હોય તે શુભાશુભ પરિણામને જીવે કરવાં ન જોઈએ, પછી કારણ વિના કાર્ય થશે નહિ. આમ કર્મનાં અણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે છતાં ચેતના-જીવ કેઈ વખત કર્મપણને પ્રાપ્ત થત નથી તેમ કર્મ પણ ચતન્ય ભાવને પ્રાપ્ત થતાં નથી. પિતા પિતાના સ્વભાવમાં જીવ પુદગલ બને અલગજ રહે છે.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy