SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ સ્વાનુભવથી જે અસર સુધરવા કે આગળ વધવા માટે થાય છે, તે કહેવાથી કે સાંભળવાથી થતી નથી. ૯૨ પિતાના ડહાપણુઘી–અહકારથી મનુષ્ય આગળ વધતાં અને નવીન જ્ઞાન લેતા અટકે છે. ૯૩ સામા થવા કરતાં અનુકુળ થઈ કામ લેવાથી ઘણી સહેલા-ઈથી કામ સિદ્ધ કરી શકાય છે. ૯૪ સામા મનુષ્યનું પુરૂ સાંભળી લીધા સિવાય, તેનું સમાધાન કરવા કે તેના વિચારે તેડવા માટે વચમાં જેટલું બોલાય છે તેની અસર કાંઈ થતી નથી. તે શબ્દ વચમાંજ ઉડી જાય છે. તેને હણ્ય ખાલી થયા સિવાય આપણું શબ્દો તેમાં પ્રવેશ કરી શકતા નથી. ૯૫ અદશ્ય શક્તિ બને છાબડાં સરખાં રાખવા પ્રયત્ન કરે છે. તેની આડે જેટલા આવે છે તેટલા રૂપાંતરથી પણ પિતાના પ્રયત્નમાં નિષ્ફળ નિવડે છે. ૯૬ સારા કામમાં આળશ અને નઠારા કામમાં કરેલી ઉતાવળ પશ્ચાત્તાપ માટે થાય છે. ૯૭ જ્યાં સુધી તેને અન્યના દોષો જણાય છે ત્યાં સુધી તે તે દે તારા પિતામાંજ છે એ ચોક્સ સમજજે. ૯૮ અન્યને સુધારવા પહેલાં પોતાને સુધારવાની જરૂર છે. ૯૯ પ્રારબ્ધ પ્રમાણેજ ગ્રામ્યની પ્રાપ્તિ થાય છે. અન્ય તરફ કટાક્ષ ન કરતાં પ્રારબ્ધને સુધારવા પ્રયત્ન કરે. ૧૦૦ મનુષ્યોને સુધારવા કે આગળ વધારવા માટે આ દુનિયા મોટામાં મેટી નિશાળ છે.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy