SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ કીંમતિ છે. સત લખી શકીએ છીએ, ચાહીએ છીએ તે પ્રગટ કરનાર મહાન પુરૂષ તરફ ભક્તિ રાખીએ છીએ. ૩૯ વસ્તુ પ્રાપ્ત થયા પહેલાં તેની આગાહિ–પડછા પ્રથમ જણાય તો તેથી તે દશા વધારે સારી જણાય છે, દ્રષ્ટિ બદલાઈ જાય છે, પછી વિખરાયેલી ઈચ્છાઓ મનોબળનું રૂપ પકડે છે, વિસ્તાર પામતા જીવનની ઈચ્છાનો અમલ ત્યાં જામે છે, ઈચ્છા વિસ્તીર્ણ જીવનનું સુકાન બને છે તેથી ભૂલે થતી અટકે છે. ૪૦ જ્ઞાન પછી જીવન લાંબે વખતે થાય છે–ચારિત્રલાંબે વખતે બધાય છે. પછી ઈચ્છાઓ ઈધિશરીર તરફ વળે છે, મન વિસ્તિણું જીવન તરફ દોડે છે, આમ આપસમાં યુદ્ધ ચાલે છે.વર્તમાન ઈચ્છાઓ અને સત તે બે વચ્ચે શું વિરોધ છે તે સંબંધી વિવેક જાગે છે. તેમાંથી આત્મજીવનને નીભાવનારી ઈચ્છાઓ સત્ છે.અસતને નિભા-વનારી ઈચ્છા અસત છે. આ વિવેક થાય છે. ૪૧ સત્યની મદદના અધિકારી થવા પહેલાં થડે પણ પરમાર્ચ કરવાની સર્વને જરૂર રહે છે. કર ચારિત્રમાં ફેરફાર થાય છે પણ દર્શનમાં–શ્રદ્ધામાં ફેરફાર તે નથી. ઈજા કરનાર છે છતાં આગળ પણ તેજ લઈ જાય છે. આપણી ઈચ્છા એ કાયદો નથી. કુદરતના કાયદાને આપણુ ઈચ્છા અનુકુળ કરવી. તેમ ન હોય તે આપણે કાયદે વારંવાર બદલાવજ પડશે. એકવાર આપણી ઈચ્છી સુખરૂપ હોય છે પણ બીજા જ વખતે તે ઇચ્છા દુઃખરૂપ થાય છે, માટે આપણે ઈચ્છા ન કરવી પણ તેનો કાયદો સમજી લે. જય વીર્યવાનું થવું હોય તે કુદરતના કાયદાને સમજીને ચાલવા પ્રયત્ન કરે..
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy