SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ માયુ મારવાની અને પારકાની ભાંજગડમાં પડવાની ટેવને લીધે ઘણું માણસો દુઃખી થતા હોય છે. મૂર્ખ લેકેને બીજાની, ભાંજગડમાં પડયા. સિવાય ચેન પડતું નથી. ૪૭ આપણે જે બીજાના કામમાં માથું મારવા ન જઇએ, તે. આપણું કામમાં તે માથું મારવા નહિજ આવે. ૪૮ દુનિયામાં દેવી અને વિના કારણે બીજાને ઉપદ્રવ કરવાના. સ્વભાવવાળા માણસોની ખોટ નથી. ૪૯ શાંતિને ચાહનારાઓએ આ સૂત્ર અજમાવી જેવા જેવું છે કે વઢવાડ કરનારીને વઢવાડ કરનાર કેઈ સામું નહિ મળે તો એની મેળે થાકીને તે ઘરમાં બેસશે. ૫) આપણું પોતાના દોષ કે પાપાચરણને લીધે આપણે જે દુઃખ ભોગવવાં પડે છે, તે આપણે જાતે બહેરી લીધા જેવાજ છે. ન્યાય રીતે તેમાં ફરીયાદિ ઉઠાવવાને આપણને જરા પણ હક નથી. દારિદ્ર, મદવાડ કે સંકટ એ બધાને લીધે જીવન કષ્ટમય થતું નથી, પણ એકલપેટાપણું, અતિલોભ, અહકાર અને પાપાચરણ ઈત્યાદિ દુર્ગુણને લીધેજ જીવન અસહ્ય દુઃખરૂપ થઈ પડે છે. ૫૧ ઉપલક દૃષ્ટીથી જોતાં કેટલીક બાબતે આપણને ફ્લેશ કારક લાગે છે, પણ વાસ્તવિક રીતે જોતાં તે આપણું હિત કરતી હોય છે. સંકટને શૈર્યથી સહન કરીએ અને કેડ બાંધીને સામા થઈએ તો આપણી ઉન્નતિ થયા સિવાય રહેતી નથી. શીયાળાની ટાઢનો ચમકારે શરીરને ધ્રુજાવે છે ખરો, પણ તેથી શરીર દઢ ને મજબુત થાય છે. સંપતિએ જેમનાં હાડ શીથીલ કરી નાખ્યાં હોય છે તે માણસો વિપત્તિને ઝપાટે સહન કરી શક્તા નથી.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy