SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૬ ખીંતીએ લટકાવી રાખેલી કટાઈ ગયેલી તલવાર માલીની. હાંસી જ કરાવે છે. તેમ આળસુ થઈ જવાથી બટ્ટો લાગે છે. દર ઉદ્યોગમાં મચ્યા રહેવાથી જ કીર્તિ ઉવળ રહે છે. ૭ બાળકને માટે દ્રવ્ય કે ઉચા અધિકારનો વારસો મૂકી જવાનું. બધાથી બની શકે તેવું નથી, પણ બાળકને સદાચારી અને સદ્દગુણું બનાવવા જે એકે કીંમતી વાર નથી. માટે તેવાં બાળકોને બના-- વવા પ્રયત્ન કરે એ માતા પિતાનો અમૂલ્ય વારસો છે. ૮ શ્રીમંત અને સત્તાવાન પુરૂષો પિતાનાં દુષ્ટ વર્તનથી જગતને. સુધારવાને બદલે બગાડતા જાય છે. ૯ સત્યજ્ઞાન એ પર્વતમાંથી નિકળતાં નિર્ઝરણ જેવું છે. તે પાણી નિત્ય પ્રવાહથી વહ્યા કરે છે તે જ સ્વચ્છ અને નિર્મળ રહી શકે છે, નહિતર ખાડામાં ભરાઈ રહી બંધિયાર થતાં તેમાં દુર્ગધ ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે શાસ્ત્રિય જ્ઞાન પ્રવાહ નિરંતર વહેતે રહે તિજ એગ્ય છે. ૧૦ પ્રજાના આરેગ્ય, સુખ અને ખરા મનુષ્યત્વમાં સુધારા વધારે થાય, તેની ઉપરજ દેશની ઉન્નતિને આધાર છે. ૧૧ જે તને ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત ન થાય, તે જે પ્રાપ્ત થયેલું, હેય તેને ઈષ્ટ માનીને બેસી રહે. ૧૨ પ્રકાશને જેમ અંધારું વળગેલુ છે તેમ સુખને, દુઃખ વળગેલું છે. મનુષ્યની આજુબાજુ સુખ દુઃખના ભરતીઓટ થયાજ કરે છે.. ૧૩ હરકતમાં બરકત રહેલી છે. મુસીબત એ સામર્થ્યની. કસોટી સમાન છે. આ એ સાવચેતીની સૂચના કે ચેતવણસમાન છે.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy