SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉદ્યમ, કર્તવ્યપરાયણતા અને સારાં આચરણ, એ ત્રણ ચરસ્થાયી સુખનાં આવશ્યક અંગ છે. ૩૫ દુરાચારથી મળતો આનંદ ક્ષણ ભગુર યાને અશાશ્વત છે, તથા ઘણી વખત તે પોતાની પાછળ કલેશ, નબળાઈ અને પશ્ચાતાપને વારસો મુકતો જાય છે. ૩૬ સુખના સર્વ અંગમાં સદ્દવર્તન જે સરસાઈ ભગવે છે, તેનું કારણ એટલુંજ છે કે તે ક્ષણિક સુખથી નહિ લેભાત, દીર્ધ દ્રષ્ટી વાપરી સાચા અને લાંબી મુક્ત ટકે એવા શુદ્ધ સુખના માર્ગનું દર્શન કરાવે છે. • ૩૭ પોપકારી લાગણીઓને આપણામાં વિકાશ થવાથી સ્વાર્થનિટ અને હુંપદ ભરેલી ચિતાઓ દૂર હડી જાય છે અને આપણું જીવનની દષ્ટી મર્યાદા વધારે બહોળી વિસ્તૃત થાય છે. ૩૮ જેમ આપણે સ્વાર્થ ઓછો શોધીએ છીએ, તેમ આપણી રહેણું વધારે નિયમસર થાય છે. નિઃસ્વાથી જીવન દુર્ગણનો નાશ કરે છે, લાલસાઓ દુર કરે છે, મનને દઢ કરે છે અને હૈદ્યને ઉન્ન-- તિમાં આણી, તેમાં વધારે ઉચ્ચ વિચારનો સંચાર કરે છે. ૩૯ જીવનને સુખી બનાવવામાં બુદ્ધિ કરતાં સારાં લક્ષણોનો હાથ વધારે હોય છે. ૪૦ એપેટાપણાને દુર્ગણ આપણામાં દાખલ થતો અટકાવવાની, તથા સ્વાર્થ પરાયણતાની વધતી જતી કુટેવ અટકાવવા બહુજ કાળજી રાખવી. ૪૧ પાત્ર અપાત્રની તપાસ કર્યા વિના વગર વિચાર્યું પુણ્યદાન કરવાથી, જન સમાજને ભારે નુક્સાન થાય છે. મજબુત બાંધાવાળાને. ભિક્ષાથી પુર ખેરાક મળવાથી, મહેનત કરવાની કે ધંધે વળગવાની
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy