SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ છે, અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાને પ્રબળ ઉત્સાહવાન હોય છે. તેઓની આત્માની વિશુદ્ધિ મેળવવા માટેની પ્રવૃત્તિ તે યુવાનના જેવી હોય છે. જેમ યુવાન પોતાના શારીરિક બળથી અને માનસીક ઉત્સL હથી હાથમાં લીધેલું કાર્ય ગમે તેવાં વિદને છતાં પડતું ન મૂકતાં સિદ્ધ કરે છે, તેમ આટલી નિર્મળતા વાળાને પુરૂષાર્થ સફળ થાય છે, તે પ્રભુના માર્ગમાં જેટલી પ્રવૃત્તિ કરે છે તેટલી પ્રવૃત્તિ આત્માને નિર્મળ કરનારી હોય છે, કમેને તોડનારી હોય છે, કષાયદિને હઠાવનારી હોય. છે, અને નિર્વાણના માર્ગ સન્મુખની આગળ વધારનારી હોય છે. આ વખતમે શુક્લપક્ષ કહે છે. આમાં આત્મચંદ્ર પ્રકાશ પ્રગટેલે. હિય છે. આજ ધર્મને યૌવન કાળ છે. આમાં પ્રવૃત્તિ કરનારા એ ખરેખર યુવાન છે. ' ' (ઉમરમાં વૃદ્ધ મનુષ્યો તે બાળકના જેવા છે. તેઓ પણ આગળ વધી શક્તા નથી, તેમનાં સાધને–હથીયારે શરીર ઈન્ડિયાદિ બાળકની માફક લાયકાત વિનાનાં થયેલાં હોય છે, બાળકમાં લાયકાત આવી નથી, આ વૃદ્ધોમાંથી લાયકાત આવીને ચાલી ગયેલી હોય છે. વખતનો ઉપગ તેઓ કરી શકતા નથી. અનુભવમાં, જ્ઞાનમાં અને વ્રતમાં જે વૃદ્ધો છે.તે તે લાયકાતવાળા છે જ. તેઓના વિષય પાયો શાંત થયેલા હોવાથી આ મા માં ઘણું ઝડપથી ચાલી શકે છે. જેમ વિષય કાચની શાંતિ તેમ. આ માર્ગ વધારે સુંગરતા ભરેલો ગણાય છે. જેમ કે વધારે, વિપક્ષ કવાય, વેર વિરોધ, વધારે તેમ આ માર્ગ ઘણીજ કઠીણુતાવાળે મુકેલી ભરેલો ગણાય છે. શુદ્ધ આત્માનું જ લક્ષ રાખી, ઉપગની જાગૃતિ રાખી, અપ્રમત્તપણે અખંડ પ્રમાણે આ માર્ગમાં ચાલવું તે
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy