SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ એમ બે ભાગમાં વિશ્વને વહેંચવામાં આવ્યું છે. અર્થાત જડ અને ચેતન બે પદાર્થો વિશ્વમાં છે. અથવા વિશ્વ જડ ચેતન એમ બે રૂપે છે. તે જ્ઞાતા રાગવાળી લાગણીએ જ્યારે પિતાના રેયનું જ્ઞાન કરે છે ત્યારે તે જીવને તેમાંથી દુઃખની પ્રાપ્તિ થાય છે, પણ જ્ઞાતા જ્યારે પિતાની રાગ વિનાની મધ્યસ્થતાવાળી લાગણીઓ જાણવા ચોગ્ય પદા-- થનું જ્ઞાન કરે છે ત્યારે જીવને સુખની પ્રાપ્તિ થાય છે. આત્માને સ્વભાવ જ્ઞાતા અને દષ્ટ છે. તે દરેક પદાર્થને જાણશે અને જોશે, તેથી કાંઈ નુકશાન જેવું નથી પણ જ્યારે આત્મા પિતાના રાગષવાળા પરિણામે પરિણમીને પિતાનાય પદાર્થ તરફ જુવે છે ત્યારે જેમ લેહચુંબકની શક્તિ વડે લેતું લેહચુંબક તરફ ખેચાઈ આવે છે તેમ આત્માના રાગદેપવાળા પરિણામ રૂપ લેચુંબક તરફ કર્મ વર્ગણાને લાયકનાં પરમાણુઓનો જથ્થો ખેંચાઈ આવે છે અને તે રાગદ્વેષ રૂપ ચિકાશની સાથે જોડાઈને આત્મપ્રદેશની સાથે લેઢાની સાથે જેમાં અગ્નિ અથવા દુધની સાથે જેમ પાણી રહે છે તેમ એકરસ થઈને આવરણ યા મળ રૂપે રહે છે. બીજી રીતે કહીએ તે આ રાગની તિવ્રતા કે મદતાના પ્રમાણમાં ખેંચાઈ આવેલી કર્મની વર્ગણાઓ બીજ રૂપે સત્તામાં જમે થઈને રહે છે. અને કાળાંતરે તેમાંથી તેના ફળરૂપે સુખ દુઃખ પ્રગટ થાય છે. આજ કારણથી ઉપર કહેવામાં આવ્યું છે કે સરાગ ચિત્ત વડે જ્ઞાતા રેયને જાણે તે તે જીવને પરિણામે દુઃખરૂપ થાય છે. તેમાંથી દુઃખ પ્રગટે છે. . આત્મા રાગદ્વેષની લાગણી વડે શેયને જાણે એ એક જાતની આત્માની ગતિ છે. આત્મા જાણવારૂપ કાર્યમાં પ્રવૃત્તિ કરે તે પોતાના
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy