SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ છે. બીજું ચિંતન વસ્તુતત્ત્વના નિર્ણય માટે કરીને તેને નિશ્ચય થયL પછીજ ત્યાગ કરવા એચ છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંત. આત્મદ્રવ્યો છે, તેમાંથી જ્ઞાતાદષ્ટ પણું, સુખ દુઃખના અનુભવ કરવાપણું પોતાનુ પિતાને ઉપયોગી છે, અને પિતા માટે પોતામાંજ અમુભવો થાય છે, માટે બીજા અરિહતાદિ પવિત્ર આત્મા સાથે પિતાના. આત્મદ્રવ્યની સરખામણી કેનિશ્ચય કરી લીધા પછી પોતામાં જ સ્થિરતા. કરવાની છે, અને તે સિવાયના બીજા જીવના ચિંતનને તે અવશ્ય. ત્યાગ કરવા યોગ્ય છે. આગળ વધવામાં આલંબન માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ આ પાંચ પરમેષ્ટિની મદદ લેવામાં આવે છે, પણ માળ ઉપર ચડવામાં જેમ દાદરાની સહાય લેવામાં આવે છે તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહતાદિની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ દાદરનો ત્યાગ કરવામાં આવે છે તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારોના ચિંતનને પણ છેવટે ત્યાગ કરવો. જે જે આત્માઓ જેટલા જેટલા આગળ વધ્યા હશે તેમને આત્મા જેટલે નિર્મળ થયો હશે, તેના પ્રમાણમાં તે પરવસ્તુના. ચિંતનને ત્યાગ કરી શકશે. આગળ વધવામાં પ્રથમ વૈરાગ્યની ભૂમિકા છે. દેષ દર્શન વૈરાગ્યવાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુઃખજ દેખાય છે, તે દરેક વસ્તુની કાળી બાજુ જોઈને તેમાં દોષ જણાતાં તેને ત્યાગ કરશે. આવા ત્યાગની પ્રથમ ઘણી જરૂર છે. આવો ત્યાગ. તેના માર્ગમાં મુખ્યતાએ વિન રૂપ જણાતી રાજ, વૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્રો, કુટુંબ, સંબંધીઓ, ઘર, જમીન, આદિ તમામ વસ્તુ
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy